શ્રાવણના સોમવારનું વ્રત ઉત્તમ આરોગ્ય અને બળ પ્રદાન કરે છે
શ્રાવણનો સોમવાર શિવભક્તોને ઉત્તમ આરોગ્ય અને બળ પ્રદાન કરે છે.
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઇ છે અને આજે શ્રાવણનો સોમવાર છે. શિવ એક એકલા ભગવાન છે જેમની એક મહિના સુધી પૂજા કરવામાં આવે છે. જેમાં શિવને ખુશ કરવા માટે ફૂલ, બીલીપત્ર, ચઢાવામાં આવે છે અને દૂધ, દહીં, મધ, ભાંગ, ગંગાજળ વગેરે દ્વારા શિવનો અભિષેક કરે છે. કહેવાય છે કે ભગવાન ભોળાને ખુશ કરવા સરળ છે, તેઓ જલ્દી ખુશ થઈ જાય છે. પરિણામે શીવભક્તો શ્રાવણ માસ દરમિયાન પોતાની મનોકામના પૂરીં કરવા માટે અનેક જતનો કરે છે.
શ્રાવણનો સોમવાર જાતકોની તમામ મુશ્કેલીઓ અને અડચણોને દૂર કરી મુક્તિ અપાવે છે અને શિવ ભક્તોને ઉત્તમ આરોગ્ય અને બળ પ્રદાન કરે છે. આજના દિવસે શિવભક્તો શિવની ભાંગ, ધતૂરો અને મધથી પૂજા કરે તો તેમને શક્તિ અને ઉત્તમ આરોગ્ય પ્રાપ્ત થાય છે અને તેમની તમામ ઈચ્છાઓ પૂરીં થાય છે. શ્રાવણ માસમાં શિવપુરાણ અને શિવ ચાલીસાનો પાઠ કરવો શ્રેયસ્કર હોય છે. શ્રાવણના સોમવારનું વ્રત કરવાથી શિવભક્તોને અનેક લાભો થાય છે આ લોભો વિશે વિસ્તૃત જાણીએ...

અત્યંત ફળદાયી
શ્રાવણ માસ ભગવાન શંકરનો સૌથી છે. આ શ્રાવણ માસના સોમવારનું વ્રત કરવું શુભ ફળદાયી હોય છે, આ વ્રત કરનારી વ્યક્તિના જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે.શ્રાવણના સોમવારનું વ્રત કરવાથી તમને આર્થિક લાભ થાય છે કરેલા કાર્યોમાં સફળતા મળે છે. તમારો ગુસ્સો શાંત થાય છે.

શક્તિ અને જ્ઞાન
શ્રાવણ માસમાં શિવલિંગની પુજા કરવાનો મહાત્મય અનેરો છે. શિવલિંગની પૂજા કરતી વખતે શિવને બીલીપત્ર ચઢાવવા, આમ કરવાથી તમને શક્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

દૂઘ અને ગંગાજળ
કહેવાય છે કે ગંગા ભગવાન ભોળેનાથની જટામાંથી નીકળે છે તેથી શિવલિંગ પર ગંગાજળ અને દૂઘનો અભિષેક કરવાથી જાતક પર આવનારા કષ્ટો દૂર થાય છે. મુશ્કેલીઓ સામે લડવાની તાકાત મળી રહે છે.

શિવપુરાણ અને શિવચાલીસા
શ્રાવણ માસમાં શિવપુરાણ અને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેની સાથે શિવ રુદ્રીના પણ જાપ કરવાથી તેનુ ઉત્તમ ફળ મળે છે. આ માસમાં સોળ સોમવારનું વ્રત કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
