Sankat Chaturthi 2023: ક્યારે છે સંકટચતુર્થી? શું છે પૂજા વિધિ, કથા અને મહત્વ
ચૈત્ર મહિનાની સંકટ ચતુર્થી 11 માર્ચ, 2023 ને શનિવારે સર્વાર્થસિદ્ધિ યોગમાં આવી રહી છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરીને અને રાત્રે ચંદ્રના દર્શન કરવાથી ઉપવાસ પૂર્ણ થાય છે.

Sankat Chaturthi 2023: ચૈત્ર મહિનાની સંકટ ચતુર્થી 11 માર્ચ, 2023 ને શનિવારે સર્વાર્થસિદ્ધિ યોગમાં આવી રહી છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરીને અને રાત્રે ચંદ્રના દર્શન કરવાથી ઉપવાસ પૂર્ણ થાય છે. ભગવાન ગણેશ અને ચંદ્રદેવની કૃપાથી તમામ પરેશાનીઓનો અંત આવે છે. આ વ્રત પુરૂષો અને સ્ત્રીઓ બંને સમાન રીતે કરે છે. તેનાથી પરિવારની તમામ પરેશાનીઓ દૂર થાય છે, આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. ચૈત્ર માસની આ સંકટ ચતુર્થી ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી તરીકે પણ ઓળખાય છે. 11 માર્ચે રાત્રે 10 વાગે ચંદ્રોદય થશે. સર્વાર્થસિદ્ધિ યોગમાં આવનારી આ ચતુર્થીમાં વ્રત કરનારની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે.
કેવી રીતે કરવી પૂજા
ચતુર્થીના દિવસે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરીને સૂર્યને જળ અર્પણ કરો. તમારા પૂજા સ્થળને સાફ કરો અને દૈનિક પૂજા કર્યા પછી સંકટ ચતુર્થી વ્રતનુ વ્રત લો. જમણા હાથમાં થોડુ પાણી, સિક્કો, પૂજા સોપારી, અક્ષત અને ફૂલ લઈને વ્રતનો સંકલ્પ લેવો. તમે જે કાર્ય માટે ઉપવાસ કરી રહ્યા છો તેનુ માનસિક રીતે ધ્યાન કરો. આ પછી ષોડશોપચારમાં ગણેશજીની પૂજા કરો. ગણેશજીને દુર્વા, સિંદૂર, ફૂલ વગેરે અર્પણ કરો. આ પછી આખો દિવસ ઉપવાસ કરો. જે લોકો ભૂખ અને તરસ સહન કરી શકતા નથી તેઓ ફળ અથવા ફળોનો રસ લઈ શકે છે. આ પછી સાંજે સૂર્યાસ્ત સમયે ફરીથી ગણેશજીની પૂજા કરો, દીવો કરો. ચતુર્થીની કથા સાંભળો કે વાંચો. આ પછી ચંદ્રોદય સુધી પાણી પણ લેવામાં આવતુ નથી. ચંદ્રોદય સમયે ચંદ્રની પૂજા કરો. ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી ગણેશજીને ભોજન અર્પણ કરો અને ભોજન ગ્રહણ કરો.
સંકટચતુર્થીની કથા
સંકટ ચતુર્થી વિશે પુરાણોમાં ઘણી વાર્તાઓ પ્રચલિત છે. સૌથી પ્રચલિત અને પૌરાણિક કથા અનુસાર, એકવાર દેવતાઓ પર સંકટ આવ્યુ. પછી તેઓ મદદ માટે ભગવાન શિવ પાસે ગયા. તે સમયે ગણેશ અને કાર્તિકેય બંને ભગવાન શિવની સાથે બેઠા હતા. શિવજીએ કાર્તિકેય અને ગણેશજીને પૂછ્યુ કે દેવતાઓની સમસ્યાઓનુ નિરાકરણ કોણ કરશે, આના પર બંનેએ સ્વયંને સક્ષમ ગણાવીને સંકટનુ નિવારણ કરવાની વાત કહી. આના પર ભગવાન શિવે બંનેની પરીક્ષા કરવાનું નક્કી કર્યુ અને કહ્યુ કે જે પૃથ્વીની પરિક્રમા કર્યા પછી પ્રથમ આવશે તે દેવતાઓની મદદ કરવા જશે.
બધા સંકટ થશે દૂર
પિતા શિવનો આદેશ સાંભળીને કાર્તિકેય પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા કરવા લાગ્યા. પરંતુ ગણેશજીએ એક યુક્તિ વાપરી અને પોતાના માતા-પિતાની સાત પરિક્રમા કરીને પાછા પોતાના સ્થાને બેસી ગયા. આના પર શિવજી પ્રસન્ન થયા અને ગણેશજીને દેવતાઓના સંકટ દૂર કરવાનો આદેશ આપ્યો. સાથે જ કહ્યુ કે જે વ્યક્તિ ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કરે છે અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરે છે તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
