Paush Poonam 2023 Snan: માઘ સ્નાન 6 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી 2023 સુધી, જાણો ખાસ વાતો
આ વર્ષે 6 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી માઘ સ્નાન કરવામાં આવશે. આવો જાણીએ તેના વિશે ખાસ વાતો.
Paush Poonam 2023(માઘ સ્નાન): પોષ પૂનમથી માઘ પૂનમ સુધી એક માસનુ માઘ સ્નાન કરવામાં આવે છે. આ વખતે માઘ સ્નાન 6 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. આ મહિના દરમિયાન તમારી નજીકના પવિત્ર સ્થાનો, તળાવો, તીર્થસ્થાનો વગેરેમાં અથવા ઘરમાં શુદ્ધ અને પદ્ધતિસર સ્નાન કરવાનુ ખૂબ મહત્વ સમજાવવામાં આવ્યુ છે. મહા મહિનામાં અનેક તીર્થસ્થળોમાં નદીઓના કિનારે મેળાઓનુ આયોજન કરવામાં આવે છે.

ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી શાસ્ત્રોમાં માઘસ્નાનનુ ઘણુ મહત્વ જણાવવામાં આવ્યુ છે. આ માસને મોક્ષ આપનાર મહિનો કહેવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે મહા મહિનામાં પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિ દસ હજાર અશ્વમેધ યજ્ઞ કરવા સમાન પુણ્ય પ્રાપ્ત કરે છે. મહા માસમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ગંગા, નર્મદા, યમુના, ક્ષિપ્રા વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે. આ માસમાં દાન-પુણ્ય કરવાથી, માંદા અને અશક્તોની સેવા કરવાથી સત્કર્મ ઉત્પન્ન થાય છે. મૃગ સ્નાનથી ગ્રહોની પીડા પણ દૂર થાય છે. આ મહિનામાં ભગવાનની પૂજા કરવાથી મોક્ષના દ્વાર ખુલે છે.
આ મહિનામાં આવે છે ગુપ્ત નવરાત્રિ
સૌથી સિદ્ધ ગુપ્ત નવરાત્રી પણ મહા મહિનામાં આવે છે. આ વખતે ગુપ્ત નવરાત્રી 22મી જાન્યુઆરીથી 30મી જાન્યુઆરી સુધી રહેશે. આ ગુપ્ત નવરાત્રિમાં માઘસ્નાનનુ મહત્વ વધુ વધી જાય છે. આ દિવસોમાં ઘણા સિદ્ધ સંતો નદીઓના કિનારે કલ્પવાસ કરીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. આ દરમિયાન સંયમ, ધીરજ અને મૌન સાથે સદાચારી જીવન જીવવુ જોઈએ. આ મહિનામાં, મકરસંક્રાંતિ સૂર્યના ઉત્તરાયણના અંતને ચિહ્નિત કરે છે અને ખરમાસ સમાપ્ત થાય છે.
ઘરમાં જ શુદ્ધતાપૂર્વક કરો સ્નાન
પવિત્ર નદીઓના કિનારે જઈને સ્નાન કરવુ તમામ મનુષ્યો માટે શક્ય નથી તેથી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનુ પુણ્ય પોતાના ઘરે જ પ્રાપ્ત કરી શકાય છે. તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગો અને પવિત્ર નદીઓના પાણીથી સ્નાન કરો (લગભગ તમામ ઘરોમાં ગંગાનું પાણી ઉપલબ્ધ હોય છે). શુદ્ધ વસ્ત્રો પહેરીને ઘરના દેવી-દેવતાઓની પૂજા કરો અને તમારી ક્ષમતા મુજબ ગરીબોને ભોજન અથવા દાન કરો. ગાયોને લીલો ચારો ખવડાવો. પક્ષીઓને ખવડાવો. તેનાથી તમને પુણ્યનુ ફળ મળશે.
દાનનુ ખૂબ મહત્વ
મહા મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાનનુ મહત્વ છે, તેમ દાનનુ પણ ઘણુ મહત્વ છે. આ માસમાં ગરીબ, અશક્ત, અનાથ, વિકલાંગ અને અંધ લોકોને જરૂરિયાતની વસ્તુઓ ભેટ આપવી જોઈએ. અનાજ, ફળ, કપડાં, પગરખાં, ગરમ વસ્ત્રો, ધાબળા, ખોરાક, દવાઓ વગેરેનુ દાન કરવાથી કુંડળીમાં ખરાબ ગ્રહોની અસર શૂન્ય થઈ જાય છે.
શિવ-વિષ્ણુ બંનેની પૂજા
મહા મહિનામાં ભગવાન શિવ અને શ્રી હરિ બંનેની પૂજા વિશેષ ફળદાયી હોય છે. બંનેમાં જેની પૂજા કરવી હોય તેની પૂજા કરો. જો તમે શિવની પૂજા કરતા હોવ તો દરરોજ ભગવાન શિવનો જલાભિષેક કરો. શિવાર્ચન કરો. મહિમ્નાસ્તોત્રનો પાઠ કરો. જો તમે વિષ્ણુની પૂજા કરતા હોવ તો દરરોજ કેસર-ચંદનથી ભગવાનની પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. આ મહિનામાં ભગવાન કૃષ્ણની પૂજા પણ ખૂબ જ ફળદાયી હોય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
