મહાશિવરાત્રિ 2021: ભગવાન શિવને તુલસી કેમ નથી ચડતી, જાણો આનુ કારણ
અમુક એવી વસ્તુઓ છે જે શિવપૂજામાં ઉપયોગ ન કરી શકાય અને તેમાંથી એક છે તુલસી. આ લેખમાં જાણીએ કે ભગવાન શિવને પૂજામાં તુલસી ચડાવવી કેમ વર્જિત છે.
ભોલેનાથના ભક્તો માટે મહાશિવરાત્રિનો પર્વ સૌથી મોટો ઉત્સવ હોય છે. તે આખુ વર્ષ આ દિવસની રાહ જુએ છે અને ભોલેબાબાને પ્રસન્ન કરવા માટે તેમની વિશેષ પૂજા કરે છે. એવી માન્યતા છે કે આ દિવસે સાચા મનથી જે ભક્તો ભગવાન શિવનુ સ્મરણ કરી છે તેની બધી મનોકામના પૂરી થઈ જાય છે. આમ તો શંકર ભગવાનને એક લોટો જળ ચડાવીને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે પરંતુ અમુક એવી વસ્તુઓ છે જે શિવપૂજામાં ઉપયોગ ન કરી શકાય અને તેમાંથી એક છે તુલસી. આ લેખમાં જાણીએ કે ભગવાન શિવને પૂજામાં તુલસી ચડાવવી કેમ વર્જિત છે.

ભોલેનાથને કેમ નથી ચડાવાતા તુલસીના પાન
આની સાથે જોડાયેલી એક પ્રચલિત કથા અનુસાર જલંધર નામનો એક અત્યાચારી અસુર હતો.તેની પતિવ્રતા પત્નીનુ નામ હતુ વૃંદા. તેના અંશથી જ તુલસીનો જન્મ થયો જે બાદમાં ભગવાન શ્રીહરિએ પત્ની તરીકે સ્વીકાર કર્યો.

રાક્ષસના ત્રાસથી લોકો ત્રાહિમામ
કથાની માનીએ તો જલંધર નામનો રાક્ષસથી બધા ખૂબ જ પરેશાન હતા. તેના કારણે દરેક જગ્યાએ હાહાકાર મચેલો હતો. પરંતુ કોઈ પણ જલંધરને નુકશાન નહોતુ પહોંચાડી શકતુ અને આનુ કારણ હતુ વૃંદાનો પવિત્ર પતિવ્રતા ધર્મ.

ભગવાન શંકરે જલંધરનો કર્યો વધ
આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુએ વૃંદાના પતિનુ રૂપ ધારણ કર્યુ અને છળપૂર્વક તેનો ધર્મ ભ્રષ્ટ કરી દીધો. આ તરફ ભગવાન શંકરે જલંધરનો વધ કર્યો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પવિત્ર તુલસીએ ભગવાન શિવને પોતાના સ્વરૂપથી વંચિત કરી દીધા અને શ્રાપ આપતા જ કહ્યુ કે તે તેમની પૂજન સામગ્રીનો હિસ્સો નહિ બને.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
