Mahashivratri 2021: ક્યારે છે મહાશિવરાત્રિનો તહેવાર? જાણો તિથિ અને પૂજાનુ શુભ મુહૂર્ત
મહાશિવરાત્રિનો પર્વ આ વખતે 11 માર્ચે છે. જાણો પૂજાનુ મુહૂર્ત અને મહત્વ.
નવી દિલ્લીઃ મહાશિવરાત્રિનો પર્વ આ વખતે 11 માર્ચે છે. આમ તો દર મહિનાની કૃષ્ણપક્ષ ચતુર્દશીએ માસ શિવરાત્રિ મનાવવામાં આવે છે પરંતુ ફાગણ કૃષ્ણ ચતુર્દશીએ આવતી મહાશિવરાત્રિ ઘણી મહત્વપૂર્ણ છે. આ દિવસે લોકો આખો દિવસ ઉપવાસ રાખીને ભગવાન ભોલેનાથની ઉપાસના કરે છે. ભગવાન શિવ તો આમ પણ તંત્રના મહાદેવ છે જે પોતાના ભક્તોની દરેક પોકારને સાંભળે છે અને તેમની દરેક પ્રકારે રક્ષા કરે છે. એવુ માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે જ શિવજ્યોતિ પ્રગટ થઈ હતી અને શિવ-પાર્વતીના વિવાહ થયા હતા માટે આ દિવસ ખૂબ વધુ પવિત્ર છે.

આ છે વ્રતનુ શુભ મુહૂર્ત
દિવસ અને તિથિઃ મહાશિવરાત્રિનો પર્વ 11 માર્ચ 2021, કૃષ્ણપક્ષની ત્રયોદશીની તિથિ
મુહૂર્તઃ બપોરે 12 વાગીને 08 મિનિટથી 12 વાગીને 55 સુધી રહેશે(અભિજિત મુહૂર્ત)
મહાશિવરાત્રિનો પર્વ શિવ યોગમાં મનાવવામાં આવશે.
પહેલો પ્રહરઃ 11 માર્ચ, સાંજે 06 વાગીને 27 મિનિટથી 09 વાગીને 29 મિનિટ સુધી
બીજો પ્રહરઃ રાતે 9 વાગીને 29 મિનિટથી 12 વાગીને 31 મિનિટ સુધી
ત્રીજો પ્રહરઃ રાતે 12 વાગીને 31 મિનિટથી 03 વાગીને 32 મિનિટ સુધી
ચોથો પ્રહરઃ 12 માર્ચ સવારે 03 વાગીને 32 મિનિટથી સવારે 06 વાગીને 34 મિનિટ સુધી
પારણનો સમયઃ 12 માર્ચ સવારે 06.36 મિનિટ

મહાશિવરાત્રિ વ્રત સામગ્રી અને વ્રતની વિધિ
ગંગા જળ, દૂધ, દહી, ઘી, મધ, ચોખા, રોલી, કલાવા, જનોઈની જોડી, અક્ષત, બિલીપત્ર, ધતૂરો, શમીપત્ર, આકનુ ફૂલ, દૂર્વા, ધૂપ, દીપ, ચંદન, નૈવેધ વગેરે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. મહાશિવરાત્રિની વ્રત વિધિ આ મુજબ કરવામાં આવે છે.
- પ્રાતઃ કાળ સ્નાન-ધ્યાન કરીને મનમાં ભગવાન શંકરનુ નામ લઈને વ્રતનો સંકલ્પ કરો.
- ભગવાન શિવની વિધિવત પૂજા કરીને ભસ્મનુ તિલક લગાવવુ.
- આ વ્રતમાં ચારે પહેર પૂજન કરવામાં આવે છે.
- દરેક પહેરમાં આરતી અને ऊं નમઃ શિવાય અથવા શિવાય નમઃનો જાપ કરવો જોઈએ.
- શક્ય હોય તો શિવરાત્રિના દિવસે રૂદ્રાભિષેક જરૂર કરવો.
- શિવલિંગ પર જળ ચડાવવુ.

બ્રહ્માથી રૂદ્ર રીપે અવતરણ થયુ હતુ
માનવામાં એ પણ આવે છે કે સૃષ્ટિના આરંભમાં મહાશિવરાત્રને ભગવાન શંકરના બ્રહ્માથી રુદ્ર રૂપમાં અવતરણ થયુ હતુ. મહાશિવરાત્રિ અથવા કાલરાત્રિ પ્રલયની બેલામાં આ દિવસે પ્રદોષના સમયે ભગવાન શિવ તાંડવ કરીને બ્રહ્માંડના ત્રીજા નેત્રની જ્વાલાથી સમાપ્ત કરી દે છે માટે આને મહાશિવરાત્રિ અથવા કાલરાત્રિ પણ કહેવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
