2025માં સંકટ ચૌથ ક્યારે છે? નવા વર્ષમાં સૌથી મોટી ચતુર્થીની જાણો તારીખ અને મૂહુર્ત
માતાઓ તેમના બાળકોને મુશ્કેલીઓથી બચાવવા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવા માટે માઘ મહિનામાં સંકટ ચોથના દિવસે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા વ્રત રાખે છે.
2025માં ક્યારે આવે છે સંકટ ચોથ?
આખા વર્ષમાં 12 સંકષ્ટી ચતુર્થી વ્રત હોય છે. આમાંની કેટલીક ચતુર્થી વર્ષની સૌથી મોટી ચોથમાં ગણવામાં આવે છે, તેમાંથી એક છે સંકટ ચોથ વ્રત. સંકટ ચોથએ ભગવાન ગણેશના મુખ્ય તહેવારોમાંનો એક છે. દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંક્ટ ચોથનો તહેવાર ઉજવવામાં આવે છે.
સંકટ ચોથ વ્રતના મહિમાથી બાળકોની તમામ પરેશાનીઓનો નાશ થાય છે. ભક્તોને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. સંકટ ચોથ વર્ષની શરૂઆતમાં આવે છે, તેથી આ દિવસે ઉપવાસ કરનારાઓને આખા વર્ષ દરમિયાન અનંત સુખ, સંપત્તિ, સફળતા અને સમૃદ્ધિ મળે છે.

તારીખ અને મૂહુર્ત
17 જાન્યુઆરી 2025 શુક્રવારના રોજ સંકટ ચોથ છે. તેને સંકષ્ટી ચતુર્થી, સંકટ ચોથ, તિલકટ ચોથ, માઘી ચોથ, લંબોદર સંકષ્ટી, તિલકટ ચતુર્થી અને સંકટ ચોથ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.
સંકટ ચોથ 2025 મુહૂર્ત
માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 17 જાન્યુઆરી 2025ના રોજ સવારે 4:06 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 18 જાન્યુઆરી 2025ના રોજ સવારે 5:30 વાગ્યે સમાપ્ત થશે.
ગણપતિ પૂજન મુહૂર્ત - સવારે 7.15 થી 11.12
સંકટ ચોથ 2025 ચંદ્રોદય સમય
તલ અને ચંદ્રના દર્શન વિના સંકત ચોથનું વ્રત અધૂરું છે. આ દિવસે ભગવાન ગણેશને પૂજામાં તલના લાડુ અથવા મીઠાઈઓ ચઢાવવામાં આવે છે અને ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી તેઓ ઉપવાસ તોડે છે.
ચંદ્રોદયનો સમય - રાત્રે 09.09 કલાકે
શા માટે સંક્ટ ચોથનું વ્રત રાખવામાં આવે છે?
સંકટ ચોથનો તહેવાર ગણપતિ અને સંકટ માતાને સમર્પિત છે આ દિવસે માતાઓ તેમના પુત્રોના કલ્યાણ માટે ઉપવાસ કરે છે. સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે અને આખો દિવસ ઉપવાસ રાખવામાં આવે છે. પછી રાત્રે ચંદ્રોદય પછી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ વ્રત તોડવામાં આવે છે. આ જ કારણ છે કે સંકટ ચોથ પર ચંદ્રને જોવાનું અને તેની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
