Lunar Eclipse 2019: વર્ષ 2019 માં આવશે બે ચંદ્રગ્રહણ
ગ્રહણની વ્યાપક અસર મનુષ્યો અને જીવ-જંતુઓ સાથે સાથે પ્રકૃતિ, પર્યાવરણ અને બ્રહ્માંડ પર સમાનરૂપે થાય છે. લોકો ગ્રહણથી ડરતા હોય છે.
ગ્રહણની વ્યાપક અસર મનુષ્યો અને જીવ-જંતુઓ સાથે સાથે પ્રકૃતિ, પર્યાવરણ અને બ્રહ્માંડ પર સમાનરૂપે થાય છે. લોકો ગ્રહણથી ડરતા હોય છે. વર્ષ 2019 માં પાંચ ગ્રહણ થશે. આમાં બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ હશે. ચાલો અહીં વાત કરીએ ચંદ્રગ્રહણની.
આ પણ વાંચો: ગ્રહણની અસરથી બચવા કરો આ ચમત્કારી મંત્રોનો જાપ

પ્રથમ ચંદ્રગ્રહણ
પ્રથમ ચંદ્રગ્રહણ 21 જાન્યુઆરીના રોજ પોષ શુક્લ પૂર્ણિમાના દિવસે થશે. આ ખગ્રાસ ચંદ્રગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં. પરંતુ પોષ શુક્લ પૂર્ણિમાના વિશિષ્ટ મહત્વને લીધે આ દિવસ પર્વકાળ તરીકે ઉજવવામાં આવશે.

બીજું ચંદ્રગ્રહણ
બીજું ચંદ્રગ્રહણ 16-17 જુલાઈ અષાઢ શુક્લ પૂર્ણિમાએ થશે. આ ગ્રહણ સમગ્ર ભારતમાં દેખાશે. આ ગ્રહણ રાત્રે 1 વાગ્યે 32 મિનિટ પર પ્રારંભ થશે અને મધ્ય રાત્રી 3.01 વાગ્યે થશે. ગ્રહણનો મોક્ષ રાત્રે 4 વાગ્યે 30 મિનિટ પર થશે. આમ, ગ્રહણનો કુલ પર્વકાળ 2 કલાક 58 મિનિટ રહેશે. આ ગ્રહણ ધનુ-મકર રાશિમાં થશે.

આ વાત ધ્યાનમાં રાખો
દર્દીઓ તથા ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ ન જોવું જોઈએ. ગ્રહણ દરમિયાન ધાર્મિક મનુષ્ય ઈશ્વર આરાધના, મંત્ર જાપ, સંકીર્તન કરવા. ગ્રહણ દરમિયાન અનાજ દૂષિત બને છે. તેથી પર્વકાળ દરમિયાન ખોરાક ગ્રહણ કરવો જોઈએ નહીં. ગ્રહણ પ્રારંભ થતા પહેલા ખાવા પીવાની વસ્તુઓ બનાવેલું ભોજન, દૂધ, દહીં, ઘી, માખણ, અથાણાં, પીવાનું પાણી, તેલ વગેરેમાં કુશા અથવા તુલસીના પર્ણ મૂકવા જોઈએ. તેનાથી તે દૂષિત થતું નથી.

ચંદ્રગ્રહણ માત્ર પૂનમે જ થાય છે
ચંદ્રગ્રહણએ ખગોળીય સ્થિતિ છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે, ચંદ્રગ્રહણ ફક્ત પૂર્ણ ચંદ્રમાં જ થઇ શકે છે. ચંદ્રગ્રહણનો પ્રકાર અને અવધિ ચંદ્રની સ્થિતિ પર આધારિત છે. ગ્રહણનો શાબ્દિક અર્થ થાય છે સ્વીકાર્ય, સ્વીકાર, ધારણ અથવા પ્રાપ્ત કરવું. તેથી, ગ્રહણ અવધિમાં આધ્યાત્મિક માન્યતાઓ જપ, તપ, ઉપાસના, સાધના, ધ્યાન અને ભજનનો નિર્દેશ આપે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
