તમારા મનોરથ સિદ્ધ કરવા રાશિ અનુસાર કરો દુર્ગા સપ્તશતીનો પાઠ
નવરાત્રીમાં દુર્ગા સપ્તશતિનો વિધિ વિધાનથી પાઠ કરવો અત્યંત લાભકારી ગણાય છે.રાશિ પ્રમાણે કરો પાઠ અને મેળવો ઉત્તમ ફળઆ અંગે વધુ વાંચો અહીં
શક્તિ વિના ન સંસારનું અસ્તિત્વ છે કે ન શરીરનું. શરીર તંત્રને આખુ વર્ષ યોગ્ય રીતે ક્રિયાશીલ રાખવા માટે નવશક્તિની સ્તુતિ કરવાથી સકારાત્મક ઉર્જાનું અર્જન કરવામાં આવે છે. નવરાત્રીના સમયે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અત્યંત લાભકારક રહે છે. એવું માનવામાં આવે છે કે જો નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીનો નિયમિત પાઠ વિધિ વિધાનથી કરવામાં આવે તો માતા બહુ પ્રસન્ન થાય છે. આજે અમે તેમને રાશિ પ્રમાણે કેવી રીતે પાઠ કરવો તે અંગે જણાવિશું.


મેષ
તમે મંગળ પ્રધાન વ્યક્તિ છો. પરિણામે તમારામાં ગુસ્સો વધારે છે. તમે દુર્ગા સપ્તશતીના પહેલા અધ્યાનનો પાઠ કરો જેનાથી તમારા ગુસ્સા પર નિયંત્રણ આવશે.

વૃષભ
તમે શુક્ર પ્રધાન જાતક છો. લાગણીઓમાં આવી હંમેશા ભૂલો કરી બેસો છો અને પાછળથી પછતાવાનો વારો આવે છે. તમારે દુર્ગા સપ્તશતીના બીજા અધ્યાયનો પાઠ નિયમિત નવ દિવસ સુધી કરવો જે તમને સુખ અને સમૃધ્ધિ અપાવશે.

મિથુન
તમે બુધ પ્રધાન વ્યક્તિ છો તમારા બોસ તમારાથી સંતુષ્ટ નહિં રહેતા હોય. જીવનસાથી સાથે અનબન પણ રહેતી હશે. તમને દુર્ગા સપ્તશતીના સાતમાં અધ્યાયનો પાઠ કરવાથી લાભ થશે.

કર્ક
તમે ચંદ્ર પ્રધાન વ્યક્તિ છો. તમે લાગણીઓ અને આવેગો પર કાબૂ મેળવી જીવનમાં સફળ થઈ શકો છો. દુર્ગા સપ્તશતીના પાંચમા અધ્યાયનો નવ દિવસ સુધી પાઠ કરવાથી જીવનમાં સફળતા મેળવી શકો છો.

સિંહ
તમે સૂર્ય પ્રધાન વ્યક્તિ છો. તમારા પર બુધનો પર ઘણો સારો પ્રભાવ રહેશે. નિર્ણય લેવાના અભાવને કારણે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવતી રહેશે. દાંપત્યજીવન સારુ રહેશે. પરિણામે તમારે દુર્ગા સપ્તશતીના ત્રીજા અધ્યાયનો નવ દિવસ સુધી વિધિવત પાઠ કરી પોતાની મુશ્કેલીઓનું સમાધાન મેળવી શકાશે.

કન્યા
તમે બુધ પ્રધાન જાતક છો તમે બુધ્ધિમાન છો, હોંશિયાર છો પણ મોટા નિર્ણયો લેવામાં ગભરાવ છો. દુર્ગા સપ્તશતીના બીજા અધ્યાયના નવ દિવસ વિધિ વિધાનથી પાઠ કરવાથી તમે ચિંતા મુક્ત અને ભય મુક્ત જીવન વિતાવી શકશો.

તુલા
તમે શુક્ર પ્રધાન વ્યક્તિ છો. જો તમારા આત્મ-વિશ્વાસ અને સાહસમાં કમી છે તો તમે દુર્ગા સપ્તશતીના છઠ્ઠા અધ્યાયનો નવ દિવસ સુધી પાઠ કરો, જેનાથી તમને જરૂર લાભ થશે.

વૃશ્ચિક
તમે મંગળ પ્રધાન વ્યક્તિ છો. તમારા જીવનમાં મંગળનું વિશેષ મહત્વ છે. તમારે તમારા રુખા સ્વભાવ અને ગુસ્સા પર નિયંત્રણ લાવવાની જરૂર છે. દુર્ગા સપ્તશતીના આઠમાં અધ્યાયનો નવ દિવસ વિધિ વિધાનથી પાઠ કરવાથી તમે તમારા વ્યવહારમાં શાલીનતા અને મધુરતા લવી જીવન સુખમય બનાવી શકશો.

ધન
તમારી રાશિનો સ્વામી ગુરુ છે. જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ તમને પાપી થઈ પીડા આપી રહ્યો હોવ તો તમે દુર્ગા સપ્તશતીના અગિયારમાં અધ્યાયનો નવ દિવસ સુધી પાઠ કરો. તમારો પિડિત ગ્રહ શુભ ફળ આપવા લાગશે.

મકર
તમારા જીવન પર શનિની છાયા રહેશે. તમે આડંબર અને અન્યાયના ઘોર વિરોધી રહેશો. પરિણામે તમારા વિરોધી બનવામાં વાર નહિં લાગે. તમે દુર્ગા સપ્તશતીના આઠમાં અધ્યાયનો નવ દિવસ સુધી પાઠ કરો તમને લાભ જરૂર મળશે.

કુંભ
તમારા પર વધુ કરીને શનિનો પ્રભાવ રહેશે. શનિ ન્યાયનો સ્વામી છે. જીવનમાં સુખ અને સમૃધ્ધિ મેળવવા માટે તમે દુર્ગા સપ્તશતીના ચૌથા અધ્યાયનો નવ દિવસ સુધી પાઠ કરો.જેનાથી માતાજી તમારા પર પ્રસન્ન થશે અને તમારી ઇચ્છાપૂર્તિ થશે.

મીન
તમે ગુરુ પ્રધાન વ્યક્તિ છો. વેપાર અને લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે તમે દુર્ગા સપ્તશતીના નવમાં અધ્યાયનો નવ દિવસ સુધી પાઠ કરો. જેનાથી તમને લાભ મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
