Debilitated Planets: નીચ ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કેવી રીતે કરશો?
ચાલો જાણીએ કે નીચ ગ્રહોના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે લાલ કિતાબ શું કહે છે.
Debilitated Planets: કુંડળીમાં કોઈને કોઈ ગ્રહ હંમેશા નીચનો હોય જ છે. નીચ ગ્રહો ઘણીવાર ખરાબ અસર આપે છે. તેમની અશુભ અસરને જ્યાં સુધી અમુક ઉપાય કરીને દૂર ન કરવામાં આવે ત્યાં સુધી જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી આવતી જ રહે છે. ચાલો જાણીએ કે નીચ ગ્રહોના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે લાલ કિતાબ શું કહે છે. જાણો દિવસના હિસાબે નીચ ગ્રહોને શુભ બનાવવાના ઉપાય-

ચંદ્રઃ કુંડળીમાં ચંદ્ર નીચનો હોય તો સોમવારે માત્ર દૂધ અને ચોખાનુ જ ભોજન લો. સફેદ મીઠાઈ પર ચાંદીનુ વરખ લગાવીને ગ્રહણ કરો. સફેદ વસ્ત્રો પહેરો અને સફેદ ચંદન લગાવીને મોતી ધારણ કરો.
મંગળઃ મંગળવારના દિવસે નીચના મંગળવાળા લોકોએ ભૂલથી પણ મસૂરની દાળ ન ખાવી જોઈએ. મંગળવારે રેવડીઓને પાણીમાં પ્રવાહિત કરો. બાળકોને રેવડીના પ્રસાદનુ વિતરણ કરો. હનુમાનજીને લાડુ ચઢાવો અને પોતે પણ પ્રસાદ ગ્રહણ કરો. ખિસ્સામાં હંમેશા લાલ રંગનો રૂમાલ રાખો.
બુધઃ જો કોઈ વ્યક્તિનો બુધ નીચનો હોય તો તેણે ઘરની છત પર પહોળા પાંદડાવાળા છોડ, વાંસ કે ચક્કી ન રાખવી જોઈએ. મહિલાઓએ બુધવારે નાક વીંધીને સો દિવસ સુધી ચાંદી પહેરવી જોઈએ. મંગળવારે રાત્રે મગને પાણીમાં પલાળી રાખો અને બુધવારે સવારે તે મગ પશુ-પક્ષીઓને ખવડાવો.
ગુરુઃ જો ગુરુ નીચનો હોય તો ગુરુવારે બ્રાહ્મણોને પીળા વસ્ત્રોનુ દાન કરો. ચણાની દાળ અને હળદરની ચાર ગાંઠ પાણીમાં વહાવી દો.
શુક્રઃ શુક્ર નીચનો હોય તો વ્યક્તિએ શુક્રવારે મંદિરમાં દહીં અને લાલ જુવાર અર્પણ કરવી જોઈએ. સફેદ રેશમી વસ્ત્રોનુ દાન કરો. શુક્રને ઉચ્ચ બનાવવા માટે વ્યક્તિએ શનિની વસ્તુઓ અને બદામ ખાવી જોઈએ.
શનિઃ શનિ નીચનો હોય તો વ્યક્તિએ શનિવારે તેલ, દારૂ, અડદ, માંસ અને ઈંડા વગેરેનું સેવન ન કરવુ જોઈએ. શનિવારે લોખંડ, તેલ, અડદ અને કાળા કપડાનુ દાન કરો. વહેતા પાણીમાં તેલ અથવા આલ્કોહોલ પ્રવાહિત કરો.
સૂર્ય: સૂર્ય નીચનો હોય તો રવિવારે જાતકે ગોળમાં રાંધેલા ચોખાનુ સેવન કરવુ જોઈએ. આ સાથે શેકેલા ઘઉંમાં ગોળ મિક્સ કરીને બાળકોને વહેંચો. ગળામાં તાંબાના પૈસા ધારણ કરો અને ઘઉં, ગોળ, સોનુ વગેરે લાલ કપડામાં બાંધીને કોઈને દાન કરો.
રાહુઃ જો રાહુ નીચનો હોય તો શનિવારે કાળા વસ્ત્રોનો ત્યાગ કરો. વાદળી કાળી પાઘડી કે ટોપી ન પહેરો. ચાંદીનો ચોરસ ટુકડો તમારા ખિસ્સામાં રાખો. રાહુની વસ્તુઓ જેવી કે બદામ, સિક્કા, જવ અને સરસવનુ દાન કરો.
કેતુઃ કેતુ નીચનો હોય તો વ્યક્તિએ સોનાની ભસ્મ અને કેસરનુ સેવન કરવું જોઈએ. સોનુ પહેરો અને સફેદ-કાળો કૂતરો પાળો. ઘઉં, કેળા, ગોળ, સોનુ અને કાળો-સફેદ ધાબળો મંદિરના પૂજારી અથવા તમારા કુળના પૂજારીને દાન કરો.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
