Astro Tips : ઘરમાં ન રાખો આ 5 દેવી-દેવતાની મૂર્તિ, ઘરમાં રહેશે કંકાસ
Astro Tips : લોકો દરેક ઘરમાં એક નાનકડું મંદિર ચોક્કસ બનાવે છે. તેમાં બધા દેવતાઓ સ્થાપિત છે. પરંતુ ધાર્મિક ગ્રંથો અનુસાર કેટલાક દેવી-દેવતાઓ એવા છે.
Astro Tips : હિન્દુ ધર્મમાં પૂજા પાઠ, ઉપવાસ અને ભગવાનની આરાધનાનું ઘણુ મહત્વ છે. દેવા-દેવતાની કૃપા મેળવવા માટે પૂજાપાઠ કરવામાં આવે છે, જેનાથી લોકોમાં શ્રદ્ધા વધે છે. આ સાથે લોકો ઘરમાં પૂજા-પાઠ કરવા માટે દેવી-દેવતાઓની મૂર્તિ અને ફોટાને સામે રાખીને પૂજા કરે છે. આવા સમયે તમારે જાણી લેવું જોઇએ કે, ઘણા દેવી-દેવતાના ફોટોગ્રાફ્સ કે મૂર્તિ ઘરમાં રાખવા જોઇએ નહીં. જેનો ઉલ્લેખ જ્યોતિષ શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દેવી-દેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવાથી ઘરમાં ક્લેશ અને સંઘર્ષની સ્થિતિ સર્જાય છે. પરિવારના સભ્યોની સુખ-શાંતિ છીનવાઈ જશે. ઘરમાં વાસ્તુ દોષો પણ ઉત્પન્ન થવા લાગે છે, જે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ બની જાય છે.
ભૈરવનાથ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભૈરવનાથને કાલ ભૈરવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને ભગવાન શિવનો સૌથી ઉગ્ર અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે, તેમની પૂજા ઘરની બહાર જ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, ઘરમાં તેમની કોઈપણ મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, જેની અસર ઘરના તમામ સભ્યો પર જોવા મળે છે. જેથી ઘરમાં કાલભૈરવની પ્રતિમા રાખવી જોઇએ નહીં.
મહાકાળી
હિન્દુ ધર્મમાં મહાકાળીને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ માતા પાર્વતીનું ખૂબ જ વિકરાળ સ્વરૂપ છે. આવી મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવી સ્થિતિમાં મહાકાળીની મૂર્તિ ઘરમાં સ્થાપિત ન કરવામાં આવે તો હિતાવહ રહેશે.
શનિદેવ
શનિદેવને ન્યાયના દેવ અને કર્મના દાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, શનિદેવની વક્ર દ્રષ્ટિ કોઈને પણ નષ્ટ કરી દે છે. આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવની મૂર્તિ ઘરમાં સ્થાપિત ન કરવી જોઈએ.
રાહુ-કેતુ
રાહુ-કેતુને જ્યોતિષમાં છાયા ગ્રહ માનવામાં આવે છે. તેમની પૂજા ગ્રહોના રૂપમાં કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તે રાક્ષસ હતો, તેથી તે અમૃત પીને અમર થઈ ગયો હતો. જ્યારે ભગવાન વિષ્ણુએ તેમની ગરદન કાપી, ત્યારે તે બે ભાગમાં વહેંચાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ રાક્ષસના માથાને રાહુ અને ધડને કેતુ કહેવામાં આવે છે. તેમની પ્રતિમા ઘરની બહાર રાખી શકાય છે, પરંતુ ઘરની અંદર કોઈ જગ્યા ન આપો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
