Ashadi Purnima 2023: કુંડળીમાં ગુરુ ખરાબ હોય તો આ દિવસે કરો ખાસ ઉપાય
Ashadi Purnima 2023: સનાતન ધર્મમાં અષાઢી પૂર્ણિમાનું ઘણું મહત્વ છે. તેને ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ પૂર્ણિમાના બીજા દિવસથી ભગવાન શિવની પૂજાનો મહિનો શ્રાવણ શરૂ થાય છે. એટલા માટે આ પૂર્ણિમા એ તમારી આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરવાનો દિવસ છે.
આ દિવસે ગુરુની સાથે બૃહસ્પતિ ગ્રહની પણ પૂજા કરવામાં આવે છે. જો તમારી કુંડળીમાં ગુરુ ખરાબ હોય તો તમારે અષાઢી પૂર્ણિમાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. આજે 3જી જુલાઈ 2023ના રોજ અષાઢી પૂર્ણિમા છે. આ દિવસે સોમવારનો સંયોગ હોવાથી અષાઢી સોમવતી પૂર્ણિમાનો સંયોગ બન્યો છે.

ખરાબ બૃહસ્પતિના પ્રભાવ
કુંડળીમાં ગુરૂની ખરાબ સ્થિતિને કારણે વ્યક્તિને ઘણી આડઅસર ભોગવવી પડે છે. જો અશુભ ગુરુ હોય તો વ્યક્તિએ જીવનભર તેના માન-સન્માનની ઝંખના કરવી પડે છે. તે બીજા માટે ગમે તેટલું કરે, બદલામાં તેને કોઈ પ્રસિદ્ધિ મળતી નથી. અશુભ ગુરૂના કારણે પુરુષનું દાંપત્ય જીવન કષ્ટદાયક રહે છે. પતિ-પત્ની વચ્ચે તાલમેલ નથી રહેતો. જો ગુરુ ખરાબ હોય તો લગ્નમાં અવરોધ આવે છે. લાખ પ્રયત્નો પછી પણ યુવક-યુવતીના લગ્ન થતા નથી. પૈસાની તંગી રહે. આજીવિકાના સાધનોમાં મુશ્કેલી છે.
શું કરશો ઉપાય
જો ગુરુ જન્મકુંડળીમાં ખરાબ સ્થિતિમાં હોય, નીચ રાશિ મકરમાં હોય, વક્રી હોય, અસ્ત હોય, તેના શત્રુ ગ્રહો બુધ-શુક્રથી ઘેરાયેલો હોય અથવા બુધ-શુક્રની રાશિમાં હોય અથવા અશુભ ગ્રહોથી ઘેરાયેલો હોય તો તેને ખરાબ માનવામાં આવે છે. આવા ગુરુની મહાદશા-અંતર્દશામાં અનેક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડે છે. આવા ગુરૂના ઉપચારનો દિવસ એટલે અષાઢી પૂર્ણિમા.
- અષાઢી પૂર્ણિમાના દિવસે તુલસી, હળદર અથવા પીળા ચંદનની માળા વડે ऊं ज्ञां ज्ञीं ज्ञौं स: जीवाय स्वाहा: મંત્રની 21 માળા કરો.
- આ દિવસે હળદરની માળાથી ભગવાન દત્તાત્રેયના મંત્ર ऊं द्रां दत्तात्रेयाय नम: મંત્રનો 21 વાર જાપ કરો.
- જે યુવક-યુવતીઓના લગ્ન નથી થતા તેમણે ગુરુ પૂર્ણિમાના દિવસે પાણીમાં હળદર ઉમેરીને સ્નાન કરવું જોઈએ. આ દિવસે પીળા વસ્ત્રો પહેરો. પીળા ફૂલોથી ભગવાન કૃષ્ણની પૂજા કરો. ગુરૂની શાંતિ રહેશે અને લગ્નમાં આવતા અવરોધો પણ દૂર થશે.
- આ દિવસે કેળાના ઝાડની હળદરથી પૂજા કરો. ગુરુ ઠીક થઈ જશે.
- અષાઢી પૂર્ણિમાએ ભગવાન શિવને કેસરવાળા દૂધથી અભિષેક કરવાથી તમામ ગ્રહોની શાંતિ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
