Makar Sankranti 2022: 14 જાન્યુઆરીએ 3 કલાક 40 મિનિટ રહેશે પુણ્યકાળ, રાશિ મુજબ કરો આ કામ
સૂર્યના ઉત્તરાયણ થવાનુ પર્વ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ મનાવાશે. જાણો પુણ્યકાળનો સમય.
નવી દિલ્લીઃ સૂર્યના ઉત્તરાયણ થવાનુ પર્વ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ જ મનાવવામાં આવશે. જો કે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ બપોરે 2.28 વાગે કરશે પરંતુ પર્વ કાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માન્ય હશે. મુખ્ય પુણ્યકાળ સૂર્યાસ્ત 5.55 વાગ્યા સુધી 3 કલાક 40 મિનિટનો રહેશે. જો કે બપોર બાદ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાના કારણે અમુક વિદ્વાનો પર્વકાળ બીજા દિવસ અર્થાત 15 જાન્યુઆરીએ પણ માની રહ્યા છે.

મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના દિવસે પોષ શુક્લ પક્ષની દ્વાદશી તિથિના દિવસે બ્રહ્મ યોગનો સંયોગ આવી રહ્યો છે. આ દિવસે રોહિણી નક્ષત્ર પણ રહેશે. શાસ્ત્રોનુ કથન છે કે સૂર્યાસ્તથી પૂર્વ સૂર્ય નારાયણ જે રાશિમાં પ્રવેશ કરી લે છે એ દિવસે પર્વકાળની માન્યતા છે. આના કારણે મકર સંક્રાંતિનો પર્વકાળ 14 જાન્યુઆરીએ જ મનાવવામાં આવશે.
સંક્રાંતિનુ આગમન
આ વખતે મકર સંક્રાંતિનુ આગમન વાઘ પર થઈ રહ્યુ છે. ઉપ વાહન અશ્વ અને હાથમાં ગદા રૂપી શસ્ત્ર છે. વસ્ત્ર પીતાંબર, ગમન પૂર્વ દિશામાં, પાત્ર રજત, દ્વવ્ય કુંકુમ અને વય કુમારી છે.
રાશિઓ મુજબ આ સામગ્રીનુ કરો દાન
મેષઃ કાળા ધાબળાનુ દાન કરવુ લાભદાયી રહેશે.
વૃષભઃ શ્વેત વસ્ત્રોનુ દાન સંકટમાંથી રક્ષા કરશે.
મિથુનઃ લીલા રંગના ધાબળાનુ દાન કરવુ.
કર્કઃ રંગબેરંગી નવા વસ્ત્રોનુ દાન કરવુ.
સિંહઃ અશુભ પ્રભાવ ઘટાડવા માટે લાલ રંગના ધાબળાનુ દાન કરવુ.
કન્યાઃ લીલા, ગુલાબી રંગના વસ્ત્ર કે લીલા ફળનુ દાન કરવુ.
તુલાઃ શ્વેત અનાજનુ દાન કરવુ.
વૃશ્ચિકઃ ખિચડી અને ફળોનુ દાન કરવુ.
ધનઃ ફળો અને તલનુ દાન કરવાનુ લાભદાયી રહેશે.
મકરઃ કાળા તલ અને કાળા ધાબળાનુ દાન કરવુ.
કુંભઃ ગાયોને લીલો ચારો ખવડાવવો. તલનુ દાન કરવુ.
મીનઃ મગની દાળ અને ચોખાની ખિચડી દાન કરવુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
