ચૂંટણી માટે ખેડૂતોને પજવતી મોદી સરકાર, લોકસભા ચૂંટણીને જોતા ડૂંગળીની નિકાસ અટકાવી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સતત ખેડૂત વિરોધી હોવાનો આરોપ લાગી રહ્યો છે ત્યારે હવે ફરી આ વાત સાબિત થઈ રહી છે.
કેન્દ્ર સરકારે માર્ચ મહિના સુધી ડુંગળીની નિકાસ અટકાવી દેતા ડુંગળી પકવતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઈ છે. માવઠાના માર વચ્ચે ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે.

ડુંગળીની નિકાસ અટકાવવી એ મોદી સરકારનો અંગત સ્વાર્થ
આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તેનો ભોગ દેશના ખેડૂતોને બનવુ પડી રહ્યું છે. દેશમાં ડુંગળીના સ્ટોકમાં કોઈપણ પ્રકારની કમી ન હોવાના અહેવાલો વચ્ચે નિકાસ અટકાવતા સરકારની નીતિઓ પર ગંભીર સવાલ થઈ રહ્યા છે.
હકિકતમાં મોદી સરકાર લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે અને વચ્ચે સર્જાતી અછત અને ભાવ વધારાને કાબુમાં લેવા ખેડૂતોને મારી રહી છે. મોદી સરકાર મોંઘવારીથી બચવા ખેડૂતોનો ભોગ લઈ રહી છે.
ડુંગળીનો મુદ્દે સતત અસરકારક રહ્યો છે અને ડુંગળી એક મહત્વની વસ્તુ છે ત્યારે સામાન્ય માણસના રસોડાના બજેટ પર ડુંગળીના ભાવની અસરને જોતા સરકારે પોતાની ચૂંટણી જીતવાનો પ્લાન અત્યારથી જ અમલમાં મુકી દીધો છે. આ જ કારણ છે કે ચૂંટણી પહેલા જ ડુંગળીની અછત અટકાવી દીધી છે.
ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે
ડુંગળીની સરકારે નિકાસ અટકાવતા હવે ફરીથી રાજનીતિ અને ખેડૂતોનો વિરોધ શરૂ થયો છે. વિવિધ સંગંઠનો સતત નિકાસ શરૂ કરવા માંગ કરી રહ્યા છે તો બીજી તરફ વિપક્ષો પણ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
કોંગ્રેસ સતત પ્રતિબંધ હટાવવા માંગ કરી રહી છે
ડુંગળીની નિકાસ અટકાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને કોગ્રેસ સતત વિરોધ કરી રહી છે. હાલમાં જ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ દર્શાવ્યો હતો.
બીજેપી નેતાઓ પણ સતત નિકાસ શરૂ કરવા માંગ કરી રહ્યા છે
ડુંગળીની નિકાસ શરૂ કરવા માત્ર કોંગ્રેસ નહીં બીજેપી નેતાઓ પણ માંગ કરી રહ્યા છે. હાલમાં જ સૌરાષ્ટ્રના જાણીતા ખેડુત નેતા અને બીજેપી સાંસદ મોહન કુંડારીયા, સાંસદ રમેશ ધડુક અને રાજેશ ચુડાસમાએ કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખીને ડુંગળી પરના પ્રતિબંધને હટાવવા માગ કરી છે.
આ સિવાય ધોરાજીનાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખી તાત્કાલિક ડુંગળી પરના પ્રતિબંધને હટાવવા રજુઆત કરી છે.
જણાવી દઈએ કે, નિકાસ પર પ્રતિબંધના કારણે બજારોમાં ડુંગળીના ભાવ સતત ઘટી રહ્યા છે. આ માવઠા વચ્ચે ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઈ છે. ખેડૂતોને સારા ભાવ ન મળતા હવે ખેડૂતો ડુંગળીને ફેંકી દેવા મજબુર થઈ જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
