INDvsNZ: આજે પણ મેચ ન રમાય તો શું થશે, જાણો કોણ પહોંચશે ફાઈનલમાં
INDvsNZ: આજે પણ મેચ ન રમાય તો શું થશે, જાણો કોણ પહોંચશે ફાઈનલમાં
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2019ના સેમીફાઈનલનો પહેલો દિવસ વરસાદના કારણે ખરાબ થઈ ગયો. જેને પગલે હવે આ મેચ રિઝર્વ ડે પર જ્યાંથી અટક્યો છે ત્યાંથી જ શરૂ કરવામાં આશે. જ્યારે મેચ રોકવામાં આવ્યો હતો ત્યારે ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન સાથે 211 રન બનાવી લીધા હતા. મતલબ કે 10 જુલાઈના રોજ કીવીઓએ પોતાની બાકી 3.5 ઓવર રમવા માટે બીજીવાર મેદાનમાં ઉતરવાનું થશે અને તે બાદ ભારત પોતાની 50 ઓવરમાં ન્યૂઝીલેન્ડે આપેલ ટાર્ગેટનો પીછો કરશે.

ભારતને મળશે પૂરી 50 ઓવર
જો કે આજના દિવસે એટલે કે 10 જુલાઈએ પણ મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં સાફ હવામાનની વાત કહેવામાં આવી રહી છે પરંતુ ઈંગ્લેન્ડની મૌસમી અનિશ્ચિતતાને જોતા જો ભારતીય ઈનિંગ પૂરી 50 ઓવર સુધી ન ચાલે તો પછી ડકવર્થ-લુીસનો નિયમ લાગૂ થશે. જ્યારે આ મેચના પરિણામ માટે બારતને ઓછામાં ઓછી 20 ઓવર રમવી પડશે. જો વરસાદને કારણે 20 ઓવર પણ ન રમી શકાય તો પછી આ મેચ રદ્દ થઈ જશે.

જો આજે મેચ ન થયો તો શું થશે
પરંતુ અહીં ભારત માટે ચિંતાની કોઈ વાત નથી કેમ કે એવી સ્થિતિમાં ભારત મેચ જીત્યા વિના જ ફાઈનલમાં પ્રવેશ કરી લેશે. કેમ કે ભારત પાસે ગ્રુપ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડથી સારી પૉઝીશન છે. ભારતે જ્યાં લીગ સ્ટેજમાં પહેલા નંબરનું સ્થાન હાંસલ કર્યું હતું જ્યારે ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાન પર રહી હતી. જો મેચ વરસાદને કારણે આજે પણ રદ્દ થાય છે તો ગ્રુપ સ્ટેજમાં કમજોર પ્રદર્શન ન્યૂઝીલેન્ડની મુશ્કેલી વધારી શકે છે.

હવે મેચની સ્થિતિ નક્કી થશે
આ મુકાબલામાં ટૉસ જીતી ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો. ભારતે પોતાની તગડી બોલિંગ લાઈનથી ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોનો શરૂઆતથી જ પરશેવો છૂટાવી દીધો. જસપ્રીત બુમરાહે માર્ટિન ગુપ્ટિલને 1 રનમાં જ આઉટ કરી દીધો અને કિવિઓને પહેલો મોટો ફટકો લાગ્યો જે બાદ ન્યૂઝીલેન્ડ કાચબાની ગતિએ ઈનિંગ રમ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
