સેમીફાઈનલમાં ભારતીય ટીમ કરી શકે છે ચોંકાવનારો આ બદલાવ
સેમીફાઈનલમાં ભારતીય ટીમ કરી શકે છે ચોંકાવનારો આ બદલાવ
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 209ના પહેલા સેમીફાઈનલમાં આજે ભારતની મેચ ન્યૂઝીલેન્ડ સામે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાનાર છે. ભારતીય ટીમ સતત ત્રીજીવાર વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પહોંચી રહી છે. આ વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે છેક સેમીફાઈનલમાં પહેલો મુકાબલો થઈ રહ્યો છે, કેમ કે પહેલા લીગ રાઉન્ડ દરમિાન બંને ટીમ વચ્ચે રમાનાર મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી.

ટીમ ઈન્ડિયા સામે આ પડકાર
સેમીફાઈનલમાં હવે ટીમ ઈન્ડિયા સામે એ પડકાર છે કે તે વિનિંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરે કે પછી મેદાન અને હવામાનની પરિસ્થિતિના હિસાબે ટીમની પસંદગી કરે. આમ તો પાછલી મેચને જોવામાં આવે તો ટીમમાં બદલાવની ઉમ્મીદ કરવામાં આવી શકે છે કેમ કે શ્રીલંકા સાથે રમાયેલ મેચમાં ટીમમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવના રૂપમાં માત્ર ત્રણ જ વિશેષજ્ઞ બોલર હતા. પ્રચંડ ફોર્મમાં ચાલી રહેલ શમી ટીમથી બહાર હતા. સેમીફાઈનલમાં ટીમ વધુ વિશેષજ્ઞ બોલર ઈચ્છશે જેથી ટીમમાં કોઈ કમજોર કડી ન બચે.

ત્રણ પેસર સાથે રમી શકે
જેવું મેનચેસ્ટરની મોસમ છે તેને જોતા એ સંભાવના છે કે અહીં ફાસ્ટ બોલર્સને વધુ મદદ મળી શકે. ભારત પાસે હજુ સારા પેસર છે, માટે સંભાવના છે કે સેમીફાઈનલમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને શમી ત્રણેયને ટીમમાં સામેલ કરી લેવામાં આવે. આ ઉપરાંત પણ ટીમમાં કેટલાક અન્ય બદલાવ જોવા મળી શકે છે. પાછલી મેચમાં રમેલ કુલદીપ યાદવની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલને મોકો મળી શકે છે જ્યારે હવામાન અને પિચના મિજાજને જોતા રવિન્દ્ર જાડેજાને પણ મોકો આપવામાં આવી શકે છે. પરંતુ ભારતીયટીમ જે વાતને લઈને વધુ કન્ફ્યુઝનમાં છે એ વાત કેદારને રમાડવો કે કાર્તિકને રમાડવો તેની પસંદગીમાં છે.

આ ખેલાડીને બહારનો રસ્તો?
દિનેશ કાર્તિક પાછલી મેચમાં કંઈ સારું પ્રદર્શન નહોતી કરી શક્યો હતો જ્યારે પહેલા રમાયેલ મેચમાં કેદારના બેટમાંથી ઉપયોગી રન નીકળ્યા છે. જો કે ટીમ ત્રણ પેસર અને બે સ્પિનર્સ સાથે રમે છે તો કાર્તિક અને જાદવની ટીમમાં જગ્યા નથી બનતી. પરંતુ ઉમ્મીદ છે કે રવિન્દ્ર જાડેજા ટીમમાં હોવાથી સ્પિન બોલરનો વિકલ્પ ખુલશે. એવામાં ટીમ ઈન્ડિયા કાર્તિક કે જાધવમાંથી કોઈ એકને રમાડી શકે છે, તો પછી રિષભ પંતે બહાર બેસવું પડી શકે છે.

ભારતની સંભવિત ટીમ
લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત/ કેદાર જાદવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
