UN ચીફ: ‘જળવાયુ પરિવર્તનથી અસ્તિત્વનું જોખમ', કેરળ પૂરનુ ઉદાહરણ આપ્યુ
યુનાઈટેડ નેશન્સ (યુએન) ના સેક્રેટરી જનરલ એન્ટાનિયો ગુટારેશે કહ્યુ છે કે દુનિયામાં જળવાયુ પરિવર્તન હવે એક એવો ખતરો બની ગયો છે જ્યાંથી પાછા આવવાનો કોઈ સવાલ નથી.
યુનાઈટેડ નેશન્સ (યુએન) ના સેક્રેટરી જનરલ એન્ટાનિયો ગુટારેશે કહ્યુ છે કે દુનિયામાં જળવાયુ પરિવર્તન હવે એક એવો ખતરો બની ગયો છે જ્યાંથી પાછા આવવાનો કોઈ સવાલ નથી. ગુટારેશે આ સાથે જ હાલમાં કેરળમાં આવેલા પૂર અને ગયા વર્ષે પ્યૂર્ટો રિકોમાં આવેલા ભયાનક તોફાનનું પણ ઉદાહરણ આપ્યુ. તેમણે જળવાયુ પરિવર્તન પર નિષ્ક્રિયતાના પરિણામો અંગે પણ ચેતવણી આપી છે. આ સાથે જ ગુટારેશે જળવાયુ પરિવર્તનની દિશા બદલવા માટે અને વધુ પ્રભાવી નેતૃત્વ અને ઈચ્છા શક્તિની અપીલ કરી.

જળવાયુ પરિવર્તનના કારણે અસ્તિત્વ પર જોખમ
ગુટારેશ સોમવારે જળવાયુ પરિવર્તન પર બોલી રહ્યા હતા. તેમણે પોતાના ભાષણમાં કહ્યુ, 'જળવાયુ પરિવર્તન આપણા સમયનો એક મહત્વનો મુદ્દો છે અને આપણે એક મહત્વના વળાંક પર છીએ. આપણી સામે અસ્તિત્વનું સંકટ છે. જળવાયુ પરિવર્તન ઝડપથી થઈ રહ્યુ છે.' તેમણે જળવાયુ પરિવર્તનની દિશા વાળવા માટે પ્રયાસ કરવાની જરૂરત દર્શાવી. ગુટારેશે જળવાયુ સંકટને રેખાંકિત કરવા માટે કેરળમાં આવેલા પૂર સહિત દુનિયાભરની કુદરતી આફતોનો હવાલો આપ્યો. તેમણે કહ્યુ કે ખૂબ જ ગરમી, જંગલોમાં આગ, તોફાન અને પૂર પોતાની પાછળ મોત અને વિનાશ છોડી જાય છે.
ઈતિહાસનું સૌથી ભીષણ પૂર
ગયા મહિને ભારતના કેરળ રાજ્યમાં ઈતિહાસનું સૌથી ભીષણ પૂર આવ્યુ જેમાં 400 લોકોના મોત થઈ ગયા અને 10 લાખથી વધુ લોકો બેઘર થઈ ગયા. ગુટારેશે મારિયા તોફાનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં 3,000 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આ તોફાન ગયા વર્ષે પ્યૂર્ટો રિકીમાં આવ્યુ હતુ અને તેને અમેરિકાના ઈતિહાસમાં સૌથી ખતરનાક આફત ગણાવવામાં આવી છે. તેમણે કહ્યુ, 'એ વાતમાં કોઈ શક ન હોવો જોઈએ કે આ સંકટ ખૂબ જ વિનાશકારી સંકટ છે. દુનિયાભરના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.' આ સાથે જ તેમણે વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઈઝેશના તે નિવેદનનો ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે છેલ્લા બે દાયકામાં વર્ષ 1850 બાદ સૌથી વધુ ગરમી પડી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
