અજગર ગળી ગયો વાંદરાનુ બચ્ચુ, વન વિભાગની ટીમે કર્યો બચાવ
વડોદરામાં અજગર સાથે બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જાણો કેવી રીતે થયો અજગરનો બચાવ.
વડોદરામાં અજગર સાથે બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અજગર એક વાંદરાના બચ્ચનાને આખો આખો ગળી ગયો પરંતુ ના તો એ તેને પૂરુ ગળી શક્યો કે ના એને બહાર કાઢી શકતો હતો. વાંદરાનુ બચ્ચુ અજગરના પેટમાં અટકી ગયુ હતુ. વન વિભાગની ટીમ દ્વારા અજગરનુ રેસ્ક્યુ કરીને વાંદરાને અજગરના પેટમાંથી બહાર કાઢવામાં આવ્યુ હતુ. મળતી માહિતી મુજબ વડોદરામાં વાસણા કોતરિયા ગામની સીમમાં અજગર સાથે એક વિચિત્ર ઘટના બની હતી. તે બે દિવસ પહેલા એક વાંદરાનુ બચ્ચુ ગળી ગયો હતો ત્યારે આ બચ્ચુ તે ના તો પચાવી શકતો હતો અને ના બહાર કાઢી શકતો હતો, તે વચમાં જ અટકી ગયુ હતુ.

વન વિભાગને માહિતી મળતા આ અજગરને વડોદરાના વન વિભાગની નર્સરીમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ટીમ દ્વારા મહામહેનતે અજગરના પેટમાંથી વાંદરાનુ બચ્ચુ બહાર કાઢવામાં આવ્યુ હતુ. આ રીતે વન વિભાગની ટીમ દ્વારા અજગરનો જીવ બચાવવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમના જણાવ્યા મુજબ અજગરે વાંદરાના બચ્ચાનો શિકાર બે દિવસ પહેલા કર્યો હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. વન વિભાગના કર્મચારીએ જણાવ્યા મુજબ અજગરના પેટમાં વાંદરાનુ બચ્ચુ ફસાઈ ગયુ હતુ માટે કર્મચારીઓએ અજગરના પેટમાં વચ્ચેના ભાગમાં થપથપાવતા અજગરે વાંદરાને ધીમે ધીમે મોઢા બાજુ ધકેલવાનુ શરૂ કર્યુ હતુ અને થોડીક જ સેકન્ડમાં વાંદરાનુ આખુ બચ્ચુ ઓકી દીધુ હતુ. વાંદરાનુ બચ્ચુ 2 મહિના આસપાસની હોવાનુ અનુમાન છે.
વન વિભાગના વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ અજગર તેની આસપાસના તાપમાનના ફેરફારને કળીને શિકારને પકડે છે. જો શિકાર નજીક આવે અને તેના તાપમાનમાં ફેરફાર હોય તો અજગર સીધો તેના પર હુમલો કરે છે અને પછી માથાના ભાગેથી ગળી જાય છે. ખોરાક પચાવતા તેને ચોમાસામાં 15 દિવસ જેટલો સમય લાગે છે. ચોમાસામાં પાચનક્રિયા ધીમી થઈ જતી હોય છે. સામાન્ય રીતે ચોમાસામાં ખોરાક જલ્દી ન પચવાના કારણે અજગર મૃત્યુ પામતા હોય છે. ગયા વર્ષે જૂન મહિનામાં આબુ નજીક હેટમજી ગામે અજગરે બે વાંદરા ગળી જતા તેનુ મોત નીપજ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
