બીજેપી સાંસદો સાથેની બેઠકમાં બોલ્યા પીએમ મોદી, કહ્યું- મારા કહેવા પર જ તમારા બાળકોને નથી મળી ટિકિટ
ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપમાં વંશવાદની રાજનીતિ માટે કોઈ સ્થાન નથી. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે હું એ તમામ નિર્ણયોની જવાબદારી લઉં છું જેમાં પાર્ટીના નેતાઓના
ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપમાં વંશવાદની રાજનીતિ માટે કોઈ સ્થાન નથી. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે હું એ તમામ નિર્ણયોની જવાબદારી લઉં છું જેમાં પાર્ટીના નેતાઓના બાળકોને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે અન્ય પાર્ટીઓમાં વંશવાદની રાજનીતિ થાય છે, ભારતીય જનતા પાર્ટીમાં તેનું કોઈ સ્થાન નથી.

ભાજપમાં વંશવાદી રાજકારણને કોઈ સ્થાન નથી
તાજેતરમાં જ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને તેમાંથી ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ વાપસી કરી છે. આ રાજ્યોમાં બીજેપીની જીત પર પીએમ મોદીએ પાર્ટીના નેતાઓના વખાણ કર્યા અને અભિનંદન આપ્યા. બેઠક દરમિયાન પીએમ મોદીએ મુખ્યત્વે વંશવાદની રાજનીતિ પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે મેં એ સુનિશ્ચિત કર્યું કે જે રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે ત્યાં ઘણા નેતાઓના સંતાનોને ટિકિટ ન મળી જેઓએ ટિકિટનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે આ સંદેશ લોકો સુધી પહોંચવો જોઈએ કે પરિવાર અને વંશવાદની રાજનીતિ દેશને કોઈ દિશામાં લઈ જઈ શકતી નથી.

નેતાઓએ બાળકો માટે ટિકિટ માંગી
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંબેડકર ભવન ખાતે ભાજપ સંસદીય દળની બેઠકમાં ભાગ લીધો હતો. મીટિંગ દરમિયાન, પીએમએ કહ્યું કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઘણા સંસદસભ્યો અને પક્ષના નેતાઓએ તેમના બાળકો માટે ટિકિટ માંગી હતી, જેમાંથી ઘણાને ટિકિટ આપવામાં આવી ન હતી. જેમના બાળકોને ટિકિટ આપવામાં આવી નથી તેમની સંપૂર્ણ જવાબદારી મારી છે. એટલું જ નહીં, પીએમે કહ્યું કે પરિવારવાદ જાતિવાદને પ્રોત્સાહન આપે છે. મીટિંગ દરમિયાન પીએમ મોદીએ પાર્ટીના નેતાઓને વંશવાદની રાજનીતિ સામે સ્પષ્ટ સંદેશ આપ્યો છે અને તેમણે કહ્યું છે કે પાર્ટી પોતે જ તેનું પાલન કરીને એક ઉદાહરણ સ્થાપિત કરે તે જરૂરી છે.

ચાર રાજ્યોમાં પાર્ટીની મોટી જીત
આ પહેલા પણ ઘણી વખત પીએમ મોદી પરિવારવાદની રાજનીતિને પ્રોત્સાહન આપવા માટે ગાંધી પરિવાર પર પ્રહાર કરી ચૂક્યા છે. બેઠક દરમિયાન પીએમ મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને પરત લાવવાના અભિયાન અંગે પણ ચર્ચા કરી હતી. પીએ મોદીની સાથે આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગાદરી, પ્રહલાદ જોશી, પીયૂષ ગોયલ અને ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર હતા. નોંધનીય છે કે ભાજપે યુપીમાં 403માંથી 255 બેઠકો જીતી છે જ્યારે 41.29 ટકા વોટ મેળવ્યા છે. જ્યારે ગોવામાં 40માંથી 20 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને અહીં 11 બેઠકો મળી હતી. ભાજપે મણિપુરમાં 60માંથી 32 અને ઉત્તરાખંડમાં 70માંથી 47 બેઠકો જીતી છે.
-
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
