શોભા ડે એ પીએમ મોદી પર કર્યો કટાક્ષ, ‘કેરળથી વધુ લકી તો રવાંડા છે'
ફરીથી એક વાર જાણીતા પરંતુ વિવાદિત લેખિકા શોભા ડે એ કંઈક એવુ કહ્યુ છે કે જેના પર હોબાલો થવો નક્કી જ છે.
ફરીથી એક વાર જાણીતા પરંતુ વિવાદિત લેખિકા શોભા ડે એ કંઈક એવુ કહ્યુ છે કે જેના પર હોબાળો થવો નક્કી જ છે. વાસ્તવમાં હાલમાં કેરળ પૂરનો પ્રકોપ સહી રહ્યુ છે. કેન્દ્ર સરકારે કેરળ માટે 500 કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપવાનું એલાન કર્યુ છે. જેના પર શોભા ડે એ કમેન્ટ કરી છે.
|
‘કેરળથી વધુ લકી તો રવાન્ડા છે'
શોભા ડે એ ટ્વિટ કરીને કહ્યુ છે કે કેરળથી વધુ લકી તો રવાંડા છે, આપણા પીએમ બીજો દેશોને ફંડ આપવાની બાબતમાં વધુ ઉદાર છે. જો કે શોભા ડે ના આ ટ્વિટ પર મોદી સરકરા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ સોશિયલ મીડિયા પર લોકોએ જરૂર શોભા ડે ને ટ્રોલ કર્યા છે અને તેમને આના માટે ખરુ-ખોટુ સંભળાવ્યુ છે.
|
‘ગિરિંકા કાર્યક્રમ'
તમને જણાવી દઈએ કે હમણા હાલમાં જ પીએમ મોદી રવાંડાની યાત્રા પર ગયા હતા. મોદીએ ત્યાંના રવેરુ ગામમાં જઈને ત્યાંના નિવાસીઓને 200 ગાયો ભેટ આપી હતી. પીએમ મોદીએ રવાંડા સરકારની એક કલ્યાણકારી યોજના ‘ગિરિંકા કાર્યક્રમ' હેઠળ આ ગાયો ભેટ આપી હતી જેને રવાંડામાંથી જ ખરીદવામાં આવી હતી.

દરેક ગરીબ પરિવારને એક ગાય આપવામાં આવે છે...
વાસ્તવમાં રવાંડાના રાષ્ટ્રપતિ પૉલ કગામેએ ગરીબ પરિવારોની મદદના હેતુસર આ રાષ્ટ્રીય સામાજિક સંરક્ષણ કાર્યક્રમની શરૂઆત કરી છે. જે હેઠળ દરેક ગરીબ પરિવારને એક ગાય આપવમાં આવે છે. રવેરુ મોડેલ ગામ જઈને પીએમ મોદીએ તે પરિવારોને ગાયો ભેટ આપી જેમને અત્યાર સુધી આનો લાભ મળી શક્યો નહોતો.

કેરળ સદીના સૌથી ભયંકર પૂરપ્રકોપનો સામનો કરી રહ્યુ છે
ઉલ્લેખનીય છે કે કેરળ સદીના સૌથી ભયંકર પૂર પ્રકોપનો સામનો કરી રહ્યુ છે જ્યાં વરસાદ અને પૂરના કારણે રાજ્યમાં 350 થી વધુ લોકોના મોત નીપજ્યા છે. વળી, આ પૂર પ્રકોપના કારણે 8 લાખથી વધુ લોકો રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર છે. કેરળની મદદ માટે કેન્દ્ર સરકારથી લઈને તમામ બીજા રાજ્યના લોકો આગળ આવ્યા છે. સેના, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, આઈટીબીપી સહિત બધા રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે.

20 હજાર કરોડથી વધુની સંપત્તિને નુકશાન
આ પહેલા મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જણાવ્યુ હતુ કે કેરળમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 20 હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિને નુકશાન થઈ ચૂક્યુ છે. આ કારણે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને વિનંતી કરી છે કે કેરળમાં રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત કરવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
