Coromandal Train Accident: બાલાસોરમાં બોલ્યા પીએમ મોદી, કહ્યું- દોષિઓને બક્ષવામાં નહી આવે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. શુક્રવારે રાત્રે અહીં એક ભયાનક ટ્રેન દુર્ઘટના બની હતી, જેમાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ ટ્રેન દુર્ઘટના સ્થળ પર જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ત્યારબાદ તેઓ બાલાસોર મેડિકલ કોલેજમાં ઘાયલોને મળ્યા. પીએમ મોદીએ કહ્યું કે આ ઘટના હેરાન કરનારી છે. અકસ્માત માટે જવાબદારોને બક્ષવામાં આવશે નહીં.

પીએમ મોદીએ કહ્યું કે હું અસહ્ય પીડા અનુભવી રહ્યો છું. અકસ્માત માટે જવાબદારોને બક્ષવામાં આવશે નહીં. અમે આ દુઃખમાં મૃતકોના પરિવારજનો સાથે છીએ. ઘાયલોને મદદ કરનારનો આભાર. આ ઘટના ખૂબ જ દર્દનાક અને ચિંતાજનક છે. અમે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. સરકાર દરેક સ્તરે તપાસ કરશે. આ ઘટનામાંથી ઘણું શીખવા મળશે.
અકસ્માત સ્થળે પીએમ મોદી સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. આ સિવાય પીએમ મોદી સાથે રેલ્વેના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા.પીએમ મોદીએ સૌથી પહેલા ઘટનાસ્થળે જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે સ્થાનિક અધિકારીઓ, રાહત અને બચાવ કાર્યમાં લાગેલા લોકો અને રેલવે અધિકારીઓ સાથે વાત કરી.
#WATCH | "It's a painful incident. Govt will leave no stone unturned for the treatment of those injured. It's a serious incident, instructions issued for probe from every angle. Those found guilty will be punished stringently. Railway is working towards track restoration. I met… pic.twitter.com/ZhyjxXrYkw
— ANI (@ANI) June 3, 2023
પીએમએ આ દુર્ઘટનાનો સામનો કરવા માટે સરકારના સંપૂર્ણ ગતિશીલ અભિગમ પર ભાર મૂક્યો હતો. વડા પ્રધાન મોદીએ કેબિનેટ સચિવ અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને સ્થળ પરથી કોલ કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે ઘાયલો અને તેમના પરિવારોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવે. દર્દ અને દુ:ખનો સામનો કરી રહેલા પરિવારોની ખાસ કાળજી લેવી જોઈએ, જેથી તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જેઓ અસરગ્રસ્ત છે તેમની પણ કાળજી લેવી જોઈએ. ઘટનાસ્થળના વીડિયોમાં પીએમ રેલવે અધિકારીઓ દ્વારા કેટલીક ફાઇલો બતાવતા જોવા મળ્યા હતા.
બાલાસોર આવતા પહેલા પીએમ મોદીએ દિલ્હીમાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઓડિશા માર્ગ અકસ્માત સંબંધિત સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. રેલવેએ કહ્યું છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારજનોને 10 લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે તેમના રાજ્યના જે લોકોએ આ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. રેલ્વેએ જણાવ્યું છે કે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
