ભાજપના નવા ચૂંટાયેલા સાંસદો માટે સૂરજકુંડમાં તાલીમ શિબિર, મોદી આપશે તાલીમ
સૂરજકુંડ, 28 જૂન : ભાજપે તેના નવા ચૂંટાઇ આવેલા સાંસદો માટે હરિયાણાના સૂરજકુંડમાં 28 જૂન, 2014થી બે દિવસ માટે વિશેષ તાલીમ સત્રનું આયોજન કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નરેન્દ્ર મોદીની પાઠશાળા છે. જેમાં ભાજપના નવા સાંસદોને રાજનીતિ, સમાજજીવન, રાજકીય વ્યવહાર વગેરે વિષયોના પાઠ ભણાવવામાં આવશે. આ શિક્ષણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ આપશે.
નરેન્દ્ર મોદીની આ પાઠશાળામાં નવા સાંસદોને ખાસ કરીને સંસદ ભવનમાં લોકસભામાં કેવી શિસ્ત જાળવવી, લોકપ્રતિનિધિ તરીકે સંસદમાં હાજરી આપતા સમયે મગજમાં કઇ બાબતોનું ધ્યાન રાખવું જેવા વિષયો પર માહિતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. આ ઉપરાંત મીડિયા સાથેના સંબંધો અને મીડિયામાં કેવી રીતે નિવેદનો આપવા અને સાંસદોના અધિકાર અને કર્તવ્ય શું છે તે અંગે પણ વાત કરવામાં આવશે. આ અંગે રાજનાથ સિંહ પણ જરૂરી ટિપ્સ આપશે.

આ તાલીમ સત્રમાં લોકસભા ચૂંટણીઓમાં સૌપ્રથમવાર ચૂંટાઇ આવેલા 162 સાંસદોને તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત તેમાં 18 રાજ્યસભા સાંસદો પણ છે. આ તાલીમ શિબિરનું સમાપન પાર્ટીના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી કરશે. બે દિવસની તાલીમ શિબિરમાં કુલ 11 સત્ર હશે જેમાં મોદી, રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, અડવાણી જેવા વરિષ્ઠ નેતાઓ સંબોધન કરશે.
મોદી તમામ સંસદસભ્યોને ટેક્નોલોજીનું જ્ઞાન લેતા રહેવા જણાવશે. તમામ સાંસદોને પોતાનું ટ્વિટર એકાઉન્ટ રાખવા જણાવી દેવાયું છે. આ વર્કશોપમાં ભાગ લેનાર તમામ સંસદસભ્યો પાસથી એક-એક હજાર રૂપિયાનો ચાર્જ લેવામાં આવ્યો છે. ટ્રેનિંગ કેમ્પમાં તમામ સાંસદો માટે રહેવા તથા જમવાની સગવડતા કરવામાં આવી છે. જમવાનું માત્ર શુદ્ધ શાકાહારી જ મળશે.
નોંધનીય છે કે સરકાર તરફથી લોકસભામાં પ્રથમવાર ચૂંટાયેલા 315 સભ્યો માટે નવી દિલ્હીમાં 30 જૂનથી તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું ઉદઘાટન લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન કરવાના છે. ત્યાર બાદ 7 જૂનથી એક મહિના સુધી ચાલનારુ બજેટ સત્ર શરૂ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
