પીએમ મોદીની બેઠકમાં ભાગ લેવો કે નહી? ગુપકર ગઠબંધનના નેતા આજે મીટિંગમાં ફેસલો લેશે
પીએમ મોદીની બેઠકમાં ભાગ લેવો કે નહી? ગુપકર ગઠબંધનના નેતા આજે મીટિંગમાં ફેસલો લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરના નેતાઓની સર્વદળીય બેઠક બોલાવી છે. ઉમર અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી સહિત 14 નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ મળ્યું છે. પીએમ મોદીની આ બેઠકમાં સામેલ થવું કે નહી તેનો ફેસલો કરવા માટે ગુપકર ગઠબંધનના નેતાઓ આજે મંગળવારે (22 જૂન) નેશનલ કોન્ફ્રેન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના આવાસે બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સર્વદળીય બેઠકમાં જવું કે નહી, તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. સવારે 11 વાગ્યે આ બેઠક બોલાવાઈ છે.

જમ્મુ અને કાશ્મીરના ફરીથી વિશેષ દરજ્જો આપવાની માંગને લઈ 6 પાર્ટીઓેએ મળી ગુપકર ઘોષણાપત્ર ગઠબંધન (પીએજીડી)ની રચના કરી છે. જેમાં નેશનલ કોન્ફ્રેન્સ અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી બે પ્રમુખ પાર્ટીઓ છે.
ફારુક અને તેના દીકરા ઉમર અબ્દુલ્લા, પીડીપીની મહેબૂબા મુફ્તી અને મોહમ્મદ યૂસુફ તારિગામી સહિત ગઠબંધનના ચાર નેતાઓને પીએમની સર્વદળીય બેઠક માટે બોલાવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પોતાના આવાસ પર પીપુલ્સ અલાયન્સ ફૉર ગુપકર ડિક્લેરેશનની બેઠકની અધ્યક્ષતા કરશે. અગાઉ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ સાથે મહેબૂબા મુફ્તીની બેઠક હતી. પીએજીડીના પ્રવક્તા મોહમ્મદ યુસૂફ તારિગામીએ કહ્યું કે, "પીએજીડીના તમામ નેતાઓને બેઠકમાં સામેલ થવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે અને આ બેઠકમાં તમામ સામેલ થાય તેવી સંભાવના છે, જેમાં ગટબંધનના નેતા રણનીતિ વિશે ફેસલો કરશે."
તેમણે કહ્યું કે ગઠબંધનના તમામ નેતાઓના સલાહ સૂચનો લીધા બાદ સંયુક્ત રણનીતિ અપનાવીશું અને 24 જૂને પીએમ મોદીએ બોલાવેલી સર્વદળીય બેઠકમાં ભાગ લેવો કે નહી તે અંગે નિર્ણય લેવામાં આવશે. પીએજીડીની બેઠક બાદ આ અંગે નિવેદન જાહેર થાય તેવી સંભાવના છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
