Maharashtra Floor Test: સીએમ એકનાથ શિંદેએ પાસ કર્યો ફ્લોર ટેસ્ટ, મળ્યા 164 વોટ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે (04 જુલાઈ) વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. એકના
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે (04 જુલાઈ) વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. એકનાથ શિંદેને તેમની તરફેણમાં 164 મત મળ્યા હતા. બહુમત માટે 144 મતની જરૂર હતી. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો છે. વિપક્ષની બેન્ચમાંથી વિશ્વાસ મત વિરુદ્ધના મતોની ગણતરી કરવામાં આવશે. વિપક્ષને 99 વોટ મળ્યા છે.

એકનાથ શિંદે શિવસેનાના ધારાસભ્ય દળના નેતા નિયુક્ત
વિધાનસભાના અધ્યક્ષે એકનાથ શિંદેને શિવસેનાના વિધાનમંડળ પક્ષના નેતા તરીકે જાહેર કર્યા છે. ભરત ગોગાવલેને ચીફ વ્હીપ બનાવવામાં આવ્યા છે. વિધાયક દળના નેતા તરીકે શિવસેનાના ધારાસભ્ય અજય ચૌધરીની નિમણૂકને ફગાવી દેવામાં આવી છે. ફ્લોર ટેસ્ટ પહેલા રવિવારે રાત્રે એકનાશ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે બેઠક કરી હતી. સીએમ બન્યા બાદ એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસ સાથે આ બીજી વખત મુલાકાત કરી હતી.

સીએમ શિંદેએ કહ્યું- કોઈપણ ધારાસભ્ય પર કોઈ દબાણ નથી બનાવવામાં આવ્યું
જો કે, એકનાથ શિંદે માટે આજનો ફ્લોર ટેસ્ટ પડકારરૂપ ન હતો. એકનાથ શિંદેને પહેલાથી જ 50થી વધુ ધારાસભ્યોનું સમર્થન હતું. જ્યારે ભાજપના 106 ધારાસભ્યો હતા. વિધાનસભા સત્ર દરમિયાન એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ ધારાસભ્ય દબાણમાં નથી. જણાવી દઈએ કે પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે એકનાથ કેમ્પ દ્વારા ધારાસભ્યો પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

'મહારાષ્ટ્ર ફ્લોર ટેસ્ટમાં 100% જીતશે'
ફ્લોર ટેસ્ટ પહેલા ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રાવસાહેબ પાટીલ દાનવેએ કહ્યું, "આજે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર માટે અંતિમ પરીક્ષાનો દિવસ છે અને અમે આ પરીક્ષા, મહારાષ્ટ્ર ફ્લોર ટેસ્ટ 100% થી જીતીશું."

સંજય રાઉતે કહ્યું- પાર્ટીમાં લોકો આવે છે અને જાય છે
બીજી તરફ સંજય રાઉતે ફ્લોર ટેસ્ટ પહેલા કહ્યું કે પાર્ટીમાં લોકો આવે છે અને જાય છે, દરેક પાર્ટીમાં આવું થાય છે. આપણા લોકો પણ ગયા છે પણ આ લોકો તેમને ચૂંટીને પાછા કેવી રીતે આવશે? આ લોકો શિવસેનાનું નામ અને અમારા કાર્યકરની મહેનતને પસંદ કરીને આવ્યા છે. આ લોકો કોઈ પ્રલોભન કે કોઈ એજન્સીના દબાણને કારણે ત્યાંથી નીકળી ગયા હતા. આ એક કામચલાઉ વ્યવસ્થા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
