ગણતંત્ર દિવસ પર PM બોરિસ જૉનસનનુ આવવુ મુશ્કેલઃ બ્રિટનના સીનિયર ડૉક્ટર
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો છે એવામાં જૉનસનની ભારત યાત્રા સંભવ નથી.
Boris Johnson India Visit: આખી દુનિયામાં કોરોના વાયરસ(Coronavirus)નુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. કોરોના મહામારી વચ્ચે રાજધાની દિલ્લીમાં આવતા મહિને 26 તારીખે ગણતંત્ર દિવસ સમારંભ આયોજિત કરવામાં આવશે. જેમાં બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જૉનસન શામેલ થવાની સંભાવના છે પરંતુ હવે બ્રિટનના ડૉક્ટરે આ સંભાવનાથી ઈનકાર કરી દીધો છે. તેમના જણાવ્યા મુજબ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો છે એવામાં જૉનસનની ભારત યાત્રા સંભવ નથી.

NDTVના રિપોર્ટ મુજબ બ્રિટિશ મેડિકલ એસોસિએશનના ચેર કાઉન્સિલ ચાંદ નાગપાલે(Dr. Chaand Nagpual) કહ્યુ કે ત્યાં કોરોનાના નવા સ્ટ્રેનના કારણે કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામાં બ્રિટન પ્રશાસન માટે પીએમ જૉનસનની યાત્રા વિશે આટલુ જલ્દી નિર્ધારિત કરવુ મુશ્કેલ હશે. તેમણે કહ્યુ કે અમે(બ્રિટન) આજથી પાંચ સપ્તાહ બાદની સ્થિતિનો અંદાજો ન લગાવી શકીએ કારણકે વાયરસની વાસ્તવિક સ્થિતિનુ આકલન રોજેરોજના આધારે થાય છે. તેમણે વર્તમાન સ્થિતિને જોઈને કહ્યુ કે પીએમ જૉનસનની ભારત યાત્રા અત્યારે સંભવ નથી લાગી રહી.
ડૉ. નાગપાલના જણાવ્યા મુજબ ઘણી મોટી હોસ્પિટલોમાં બેડ ભરાઈ ચૂક્યા છે જ્યારે અન્યમાં 90 ટકા બેડ પર દર્દીઓ ભરતી છે. જેના કારણે ગયા સપ્તાહમાં 44 એમ્બ્યુલન્સને દૂરની સુવિધાઓ માટે નિર્દેશ આપવામાં આવ્યા કારણકે સ્થાનિક હોસ્પિટલોમાં બેડ નહોતા. તેમના જણાવ્યા મુજબ કોરોના વાયરસની રસી બ્રિટનના લોકોને આપવામાં આવી રહી છે પરંતુ મ્યુટેને મુશ્કેલી વધારી દીધી છે. હાલમાં વૈજ્ઞાનિકો આના પર માહિતી મેળવી રહ્યા છે કે વેક્સીન પર નવા સ્ટ્રેનનો કેટલો પ્રભાવ પડશે.
નવા સ્ટ્રેનથી બધા કેમ પરેશાન?
કોરોના વાયરસના અત્યાર સુધી ઘણા સ્ટ્રેન મળી ચૂક્યા છે પરંતુ હાલમાં જે સ્ટ્રેન બ્રિટનમાં મળ્યો છે તેનાથી વૈજ્ઞાનિકોની મુશ્કેલી વધી ગઈ છે કારણકે આ ઘણુ ઝડપથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. હાલમાં બ્રિટનમાં જ્યાં-જ્યાં આ સ્ટ્રેન મળ્યો છે ત્યાં ખૂબ વધુ કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે ભારત સહિત ઘણા દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઈટ્સને રદ કરી દીધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
