બેઈમાન કહે છે મોદી મરી જા, દેશ કહે છે મોદી ન જા-પીએમ મોદી
અહીં પીએમ મોદીએ આગળ કહ્યું કે, આ એક નવો યુગ અને નવો ઈતિહાસ રચવાની ક્ષણ છે. ચૂંટણી જીતવા કરતાં પણ મને એ વાતનો સંતોષ છે કે પીએમના કાર્યકાળ દરમિયાન તેમણે વારંવાર ઉત્તર પૂર્વમાં જઈને લોકોના દિલ જીત્યા.
નવી દિલ્હી : ત્રણ મહત્વના રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ત્રિપુરા અને નાગાલેન્ડમાં જીત મેળવી છે. મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા છે. હવે જીત બાદ ભાજપમાં ઉજવણીનો માહોલ છે. જીત બાદ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી ચીફ જેપી નડ્ડા સહિતના નેતાઓ હાજર હતા. કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, આ કટ્ટર બેઇમાન લોકો કહે છે કે મોદી મરો. મોદી મરો અને દેશ કહે છે કે મોદી ન જાઓ.

અહીં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આગળ કહ્યું કે, પાછલા વર્ષોમાં બીજેપી હેડક્વાર્ટર આવા ઘણા પ્રસંગોનું સાક્ષી રહ્યું છે. આજે આપણા માટે જનતા સમક્ષ નમ્રતાપૂર્વક પ્રણામ કરવાની બીજી તક આવી છે. હું મારું માથું નમાવીને ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આ ચૂંટણી દિલના અંતરને ખતમ કરવાની સાથે નવી વિચારસરણીનું પ્રતિબિંબ છે. હવે નોર્થ ઈસ્ટ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે.
અહીં પીએમ મોદીએ આગળ કહ્યું કે, આ એક નવો યુગ અને નવો ઈતિહાસ રચવાની ક્ષણ છે. ચૂંટણી જીતવા કરતાં પણ મને એ વાતનો સંતોષ છે કે પીએમના કાર્યકાળ દરમિયાન તેમણે વારંવાર ઉત્તર પૂર્વમાં જઈને લોકોના દિલ જીત્યા.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, આપણા કેટલાક શુભચિંતકો એવા છે જે એ વાતથી પરેશાન છે કે ભાજપની જીતનું રહસ્ય શું છે? મેં આજ સુધી પરિણામ સુધી ટીવી જોયું નથી અને એ પણ નથી જોયું કે ઈવીએમનો દુરુપયોગ થવા લાગ્યો છે કે નહીં? ભાજપ સરકારની કાર્ય સંસ્કૃતિ અને કાર્યકરોની સેવા ભાવનાને કારણે આ સ્થાન પ્રાપ્ત થયું છે. અમે દેશને નવી રાજનીતિ આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, પૂર્વોત્તરમાં નળથી પાણી, વીજળી, ગેસ કનેક્શન અને મકાનો પૂરા પાડવાનું તેમના ટુ-ડૂ લિસ્ટમાં પણ નહોતુ. અગાઉની સરકારો તેનાથી દૂર રહી અને અહીંના લોકોને મુશ્કેલીમાં મુક્યા. અમારા આવા પ્રયાસોથી દેશને પહેલીવાર ગરીબી સામે લડવાની તક મળી છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસ કહે છે કે આ નાના રાજ્યો છે, તેમના પરિણામોથી કોઈ ફરક નથી પડતો. આ તેની માનસિકતા દર્શાવે છે. જ્યારે હૃદયમાં જ ભારતને એક કરવાની વાત ન હોય ત્યારે આવા શબ્દો બહાર આવે છે. આ રાજ્યોના લોકોનું અપમાન છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અને ડાબેરીઓ મળીને કેરળને લૂંટી રહ્યા છે. એ દિવસ દૂર નથી જ્યારે પૂર્વોત્તરની જેમ ત્યાં પણ ભાજપની ગઠબંધન સરકાર બનશે. પૂર્વોત્તરની જીતથી દેશભરના કાર્યકરોમાં ઉત્સાહ છે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
