અમિત શાહે પૂણેમાં CFSLની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું, NDRF કર્મચારીઓ સાથે ભોજન કર્યુ!
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે. રવિવારે અમિત શાહ પુણે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL)ની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું.
પુણે, 19 ડિસેમ્બર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે. રવિવારે અમિત શાહ પુણે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL)ની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે અમિત શાહે NDRFના અધિકારીઓ સાથે ભોજન લીધું હતું. આ પહેલા અમિત શાહે પૂણે દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં વિશેષ પ્રાર્થના કરી હતી.

CFSLના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કર્યા હતા. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં CFSL સમગ્ર દેશની ફોજદારી ન્યાય પ્રણાલીને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત ન્યાયિક તપાસને પારદર્શક બનાવવામાં આવી છે.
Home Minister Amit Shah had lunch with the officers of the National Disaster Response Force (NDRF) during the inauguration of a new building of Central Forensic Science Laboratory (CFSL) in Pune, Maharashtra pic.twitter.com/x1heyaiEYA
— ANI (@ANI) December 19, 2021
આ અવસર પર અમિત શાહે NDRFની ટીમની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આજે હું ગર્વથી કહી શકું છું કે NDRFની કુલ 16 બટાલિયન દેશમાં કામ કરી રહી છે. જ્યારે પણ દેશમાં ભૂકંપ, ચક્રવાત કે ભૂસ્ખલન જેવી આફત આવે છે, ત્યારે આપણે NDRFના અધિકારીઓને કેસરી રંગનો યુનિફોર્મ પહેરીને સ્થળ પર પહોંચતા જોઈએ છીએ.
અમિત શાહ વૈકુંઠ મહેતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આ પછી તેઓ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો શિલાન્યાસ પણ કરશે.
Union Home Minister Amit Shah inaugurates a new building of Central Forensic Science Laboratory (CFSL) in Pune, Maharashtra. pic.twitter.com/bQ07Dd5Ogw
— ANI (@ANI) December 19, 2021
તમને જણાવી દઈએ કે અમિત શાહ શનિવારે મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. પહેલા દિવસે અમિત શાહે અહમદનગરના પ્રવરનગર (લોની) ખાતે સહકારી રેલીમાં હાજરી આપી હતી. અહીં તેમણે તેમની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. તમને જણાવી દઈએ કે આ તે વિસ્તાર છે જ્યાંથી ભારતની પ્રથમ સહકારી ખાંડ મિલ શરૂ થઈ હતી. દેશમાં સહકારી ક્ષેત્રને ટેકો આપવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસો પર બોલતા ગૃહ પ્રધાન શાહે સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવા અને તેની ખામીઓથી છુટકારો મેળવવાની સરકારની યોજનાઓ ગણાવી. આ પછી અમિત શાહ અહમદનગરની શિરડી દરગાહ પણ પહોંચ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
