ગુજરાતના આર્કિટેક્ચર પ્રો. બાલકૃષ્ણ દોશીને રાજ્યપાલે આપી શ્રદ્ધઆંજલી
રાજ્યાલ આચાર્ય દેવવ્રત દ્વારા મતદાન દિવસે રાજભવનમાં કામ કરતા કર્મચારીઓ પાસે મતદાન કરવા માટે શપથ લેવડાવ્યા હતા. સાથે ગુજરાતના આર્કિટેક્ચર પ્રો. બાલકૃષ્ણને શ્રદ્ધાંજલી પણ પાઠવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવપ્રત દ્વારા મતદાન દિવસે શપથ લેવડાવ્યા હતા. ગુજરાત અને ભારતમાં સ્થાપત્યોના 'માસ્ટરપીસ' સર્જનાર જગવિખ્યાત આર્કિટેક્ટ પદ્મભૂષણ પ્રો. બાલકૃષ્ણભાઈ દોશીના નિધનથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રદ્ધાંજલિ અર્પતાં કહ્યું હતું કે, પ્રો. બાલકૃષ્ણભાઈ દોશીએ સ્થાપત્યના સર્જનની સાથોસાથ આર્કિટેક્ટના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરીને આશીર્વાદરૂપ કામ કર્યું છે. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં વિશ્વનો સૌથી મહાન એવોર્ડ પ્રિટ્ઝર પુરસ્કાર મેળવનાર બાલકૃષ્ણભાઈ દોશીના નિધનથી ગુજરાત અને આર્કિટેક્ચરના ક્ષેત્રમાં ક્યારેય ન પુરી શકાય એવી ખોટ પડી છે.
ભારતીય ચૂંટણી પંચની સ્થાપનાનો દિવસ 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' તરીકે ઉજવાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવન પરિસરમાં શપથ લેવડાવ્યા હતા કે, "અમે ભારતના નાગરિકો લોકશાહીમાં પૂર્ણ શ્રદ્ધા સાથે શપથ લઈએ છીએ કે, અમે આપણા દેશની લોકશાહી પરંપરાની જાળવણી કરીશું તથા સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગરિમાનું જતન કરતાં કરતાં નિર્ભિત થઈને ધર્મ-વર્ગ-જાતિ-સમુદાય-ભાષા કે કોઈપણ પ્રલોભનથી પ્રભાવિત થયા વિના તમામ ચૂંટણીઓમાં અમારા મતાધિકારનો અચૂક ઉપયોગ કરીશું."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
