નરેન્દ્ર મોદી જુન બાદ દેશભરમાં 100 જાહેરસભા સંબોધશે

આ બાબત અંગે સૂત્રોના જણાવ્યા મુજબ, જૂન પછી મોદી અને ભાજપના ટોચના પદાધિકારીઓ આશરે 100 રેલીઓ અને જાહેર સભા યોજવાનું આયોજન કરી રહ્યા છે. ભાજપ મતદારોને જીતવા બે પરિબળ પર નિર્ભર છે - મોદી તરફી જુવાળ અને યુપીએ સરકારની વધતી સમસ્યાઓ. પક્ષનું માનવું છે કે સરકાર વિરોધી જુવાળ ઉભો કરવા તેની પાસે સીબીઆઇનું વલણ, ભ્રષ્ટાચાર અને ચીનનું કથિત આક્રમણ જેવા મુદ્દા છે અને મતદારો સમક્ષ તમામ સમસ્યાઓને સારી રીતે રજૂ કરવામાં મોદી માહેર છે.
કર્ણાટકમાં તેમની પ્રથમ સભા લિટમ્સ ટેસ્ટ તરીકે જોવાતી હતી. આ રેલીને નોંધપાત્ર સફળતા મળ્યા પછી નેતાઓએ આજે વધુ બે રેલીઓનું આયોજન કર્યું છે. પક્ષના નેતાએ કહ્યું હતું કે ‘આ તો ટ્રેલર છે, પિકચર હજુ બાકી છે.' ઉત્તરપ્રદેશમાં પક્ષના નેતાઓનું કહેવું છે કે મોદી સૌથી લોકપ્રિય ચહેરો છે. પ્રાદેશિક એકમના નેતાઓની એક બેઠક ચોથી મે ના રોજ યોજાશે, જેમાં રાજ્ય અને મોદીના પ્રચાર કાર્યક્રમ માટે વ્યૂહરચનાની ચર્ચા થશે.
આ બેઠકમાં લોકસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની પણ ચર્ચા થવાની શકયતા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય પછી મોદી લોકસભાની ચૂંટણી માટે પ્રચાર સમિતિના અધ્યક્ષ બની શકે છે. વ્હોર્ટન સ્કૂલ મોદીનું ભાષણ રદ કરે એ અમેરિકન કોંગ્રેસની ધાર્મિક સ્વાતંત્ર્ય પરની સ્વતંત્ર સમિતિ મોદીના વિઝા પર પ્રતિબંધ મૂકવાનું જાળવી રાખવાનું ભલે કહે. પણ ભાજપ તેના આ સૌથી લોકપ્રિય ચહેરાને આગળ વધારવા મક્કમ છે.
આ દરમિયાન ચોથી અને પાંચમી મેના રોજ ભાજપના સરકારી વિરોધી આંદોલન 'ભાંડાફોડ આંદોલન'માં મોદી કે રાજનાથ સિંહ, એલ.કે.અડવાણી, સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી જેવા પક્ષના અન્ય નેતાઓ સંબોધશ નહીં. દરમિયાન મોદી ધીમે ધીમે ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર બનવા આગળ વધી રહ્યા હોય તેમ લાગે છે.
તેમણે સાધુ-સંતોના આશિર્વાદ મેળવ્યા પછી આરએસએસ પર તેમને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાનું દબાણ વધ્યું છે. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે મતભેદો ધરાવતા મોદીને બાબા રામદેવના મંચ પર લોકપ્રિય સાધુ-સંતોનો ટેકો મેળવવામાં સફળતા મળી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
