કોંગ્રેસના માળખામાં ફેરફાર, નવી જવાબદારી કોને મળી જાણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ પણ સક્રિય થઈ રહ્યુ છે. ગુરૂવારે ગુજરાત કોંગ્રેસના માળખામાં મોટા પાયા પર ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે વધુ વાંચો અહીં..
કોંગ્રેસે 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે કોંગ્રેસના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ પાટીદરા ફેક્ટરને ધ્યાનમાં રાખીને સિદ્ધાર્થ પટેલને ચૂંટણી પ્રચારકના અધ્યક્ષ બનાવીને મહત્વની જવાબદારી સોપવામાં આવી છે. તેમજ શક્તિસિંહ ગોહિલને મીડિયા સંકલન સમિતિની જવાબદારી સોપવામાં આવી છે. જ્યારે ચૂંટણી પ્રચાર સાહિત્યની જવાબદારી અર્જુન મોઢવાડીયાને સોપવામાં આવી છે. 10 ઉપાધ્યક્ષ, 14 મહામંત્રી, 7 પ્રવક્તા નિમાયા છે. ચૂંટણીલક્ષી 5 સમિતિઓની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે 63 મંત્રીઓ, 4 એક્ઝિક્યુટિવ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. એટલું જ નહીં, 13 નવા શહેર-જિલ્લાના પ્રમુખોની પણ નિમણૂંક કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સત્યજીત ગાયકવાડ, જગદીશ ઠાકોર, બાબુભાઈ માંગુકિયા, કાશ્મીરાબેન મુન્શી, પ્રવીણ રાઠોડ, વજીરખાન પઠાણ, પુનાજીભાઈ ગામીત, ભીખુભાઈ વરોતરિયા, ધીરુભાઈ ગજેરા અને જશોદાબેન પરમારની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તરીકે ડો. વિજય દવે, હિમાંશુ વ્યાસ, શશીકાંત પટેલ, મનુસિંહ પરમાર, ઇકબાલ શેખ, બ્રેજેશ મેરજા, પરિમલ સોલંકી, કનુભાઈ વાઘેલા, પ્રહલાદ પટેલ, બાબુભાઈ કાપડિયા, પી.કે.વાલેરા, માનસિંહ ડોડિયા, ગોપાલસિંહ રાઠોડ, અને દિલીપ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા તરીકે અમીબેન યાજ્ઞિક, બદરુદ્દીન શેખ, જયરાજસિંહ પરમાર, કૈલાશ ગઢવી, રાજન પ્રિયદર્શી, પરાંજયાદિત્યાસિંહ પરમાર, નૈશત દેસાઇની નિણૂંક કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે અજીત ભાટી , મહિસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હરજીવનભાઈ, નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે ધર્મેશ પટેલ, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે જે.ટી.પટેલ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પદે પ્રશાંતભાઈ, સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે જગદીશ પટેલ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હિતેશ વોરા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે લલિત કાગથરા, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે સતિષ વીરદાની વરણી કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
