Junagadh : ગિરનાર ગોરખનાથ મૂર્તિ ખંડિત મામલે ચૌકાવનારો ખુલાસો
Junagadh : ગિરનાર પર્વત પર સ્થિત ગુરુ ગોરખનાથજીની પ્રતિમાને ખંડિત કરવાના ઘૃણાસ્પદ કૃત્યમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે.
5 ઓક્ટોબરે બનેલી આ ઘટનાને કારણે સમગ્ર ગુજરાત સહિત દેશભરના સાધુ-સંતો અને ધર્મપ્રેમીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે હવે આ મામલે પોલીસ તપાસમાં સનસનાટીપૂર્ણ વિગતો સામે આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરવાના આ જઘન્ય કૃત્યમાં મંદિરના જ પગારદાર પૂજારી અને એક દુકાનદાર રમેશની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. આ બંને વ્યક્તિઓએ મળીને ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરી અને તેને જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતી.
આ ચોંકાવનારા ખુલાસા બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, મંદિરના જ પગારદાર પૂજારી અને એક દુકાનદારે આ ધૃણાસ્પદ કૃત્ય શા માટે આચર્યું? તેમની પાછળનો હેતુ શું હતો? શું કોઈ અંગત વૈમનસ્ય, આર્થિક લેવડદેવડ કે અન્ય કોઈ મોટું કાવતરું સંકળાયેલું છે?
પોલીસ દ્વારા આ બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આ કૃત્ય કરવા પાછળનું સાચું કારણ અને તેની સંપૂર્ણ વિગતો સત્તાવાર રીતે સામે આવશે.
ઉલ્લેખનીય છે કે, પવિત્ર ગિરનાર પર્વત પર બનેલી મૂર્તિ ખંડિત કરવાની આ ઘટનાને કારણે લાખો ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેનાથી કાયદાનું શાસન જળવાઈ રહે અને ધાર્મિક સ્થળોની પવિત્રતા સુરક્ષિત રહે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
