ગુજરાતના 3850 ગામમાં અંધારપટ, 2 લાખથી વધુ વૃક્ષો ધરાશાયી, ખેડૂતો પરેશાન
ગુજરાતના 3850 ગામમાં અંધારપટ, 2 લાખથી વધુ વૃક્ષો ધરાશાયી, ખેડૂતો પરેશાન
અરબી સમુદ્રથી ઉઠેલ વાવાઝોડું તૌકતે હવે નિષ્ક્રિય થઈ ગયું છે. સોમવારે અને મંગળવારે બે દિવસ સુધી વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવી. 2 લાખથી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયાં. 20 હજારથી વધુ કાચાં ઘર અસરગ્રસ્ત થયાં. હજારો એકરનો પાક નષ્ટ થઈ ગયો. ખાસ કરીને કેરીનો પાક 75% બરબાદ થઈ ગયો છે. આ ઉપરાંત વીજળી ઠપ થઈ જવાના કારણે રાજ્યના 3850 ગામમાં અંધારપટ છવાયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાના કારણે રાજ્યના 5958 ગામમાં વીજળી પૂરવઠો ખોરવાઈ ગયો હતો.

પ્રભાવિત જિલ્લામાં નુકસાનનું સર્વેક્ષણ
રાજ્યના 96 તાલુકામાં વાવાઝોડાને પગલે મુસળધાર વરસાદ થયો. અહેવાલ મુજબ અવરજવર માટે 112 રસ્તા બંધ કરી દેવા પડ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપણીએ આગલા બે દિવસમાં જનજીવન સામાન્ય કરવાને લઈ કામ ચાલશે તેવી ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે બુધવારથી પ્રભાવિત જિલ્લામાં નુકસાનનું સર્વેક્ષણ કરાશે. જેમાં મકાન, પશુપાલન અને મત્સ્યોદ્યોગના નુકસાનનો સર્વે પણ સામેલ છે.

પ્રભાવિત જિલ્લાને આર્થિક મદદ મળશે
મુખ્યમંત્રીનું કહેવું છે કે તૌકતે વાવાઝોડાના પૂર્વાનુમાન બાદથી જ સરકારે પગલાં ઉઠાવવાં શરૂ કરી દીધાં હતાં. આ કારણે જાનમાલને વધુ નુકસાન નથી પહોંચ્યું. તેમણે કહ્યું કે વાવાઝોડાથી સર્વેક્ષણ બાદ પ્રભાવિત લોકોને આર્થિક મદદ અપાશે. યુદ્ધ સ્તરે પુનર્વાસ, રાહત કાર્ય શરૂ કરી દેવાશે.

આ જિલ્લા સૌથી વધુ પ્રભાવિત
ગુજરાતમાં તૌકતેની સૌથી વધુ અસર અમરેલી, ગિરસોમનાથ, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લા પર થઈ છે. સૌરાષ્ટ્રમાં જ સૌથી વધુ મોત થયાં છે. સત્તાવાર રૂપે વાવાઝોડાને કારણે 14 લોકોના મોત થયાં છે.

ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
બિન મોસમ વરસાદ અને વાવાઝોડાના કારણે ગુજરાતમાં મગ, ચીકૂ, પપૈયા, કેરી, નારિયેળ જેવા પાકને જબરું નુકસાન થયું છે. રાજ્યનનો 75% કેરીનો પાક નષ્ટ થઈ ગયો છે. ત્યારે આ વખતે કેરીના ભાવમાં પણ વધારો જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
