ભારતને ચોકીદારની નહી, હકની જરૂરિયાત છે: રાહુલ ગાંધી
મહિસાગર, 11 માર્ચ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના ઘરમાં ઘુસીને નરેન્દ્ર મોદીને ભાંડ્યા હતા. તેમને ભાંડવાનું કારણ બધા જાણે છે, પરંતુ ખાસ વાત એ છે કે તેમાં તેમણે આધાર મહાત્મા ગાંધી, સરદાર વલ્લભ ભાઇ પટેલ અને હિટલર જેવા લોકોને બનાવ્યા હતા. તેમણે નરેન્દ્ર મોદીની તુલના હિટલર સાથે કરી દિધી.
નરેન્દ્ર મોદીના સરદાર પટેલની મૂર્તિ બનાવવા ઉપર બોલતાં કહ્યું હતું કે પહેલાં તેમના વિશે થોડું વાંચી લેવું જોઇએ. રાહુલ ગાંધીએ સરદાર પટેલના નામ રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધી આજે ગુજરાતના ખેડામાં એક રેલીને સંબોધિત કરી રહ્યાં હતા.
તેમણે કહ્યું હતું કે સરદારે કહ્યું હતું કે આરએસએસની વિચારધારા ઝેરીલી છે, જે ભારતીય એકતા વિરૂદ્ધ છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો તે (નરેન્દ્ર મોદી) ગીતા વાંચતા તો તેમને ખબર પડતી કે ભાઇચારથી કામ કરવું જોઇએ.
કોંગ્રેસને ખતમ કરવાની વાત કહેનાર નરેન્દ્ર મોદીના આહવાન પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે સંગઠન માટે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીએ જીવ આપ્યો હતો તેને તે (નરેન્દ્ર મોદી) ખતમ કરવા માંગે છે. ગુજરાતના મહિસાગરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રેલી દરમિયાન તેમના ભાષણના 20 ખાસ અંશ આ પ્રકારે છે:-

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
સરદાર પટેલ માનતા હતા કે આરએસએસની વિચારધારા ઝેરીલી વિચારધાર છે.

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
જો ઇતિહાસ વાંચતા તો ભાજપના નેતાઓને સમજણ પડતી કે શું લખ્યું છે.

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
કોંગ્રેસને સરદાર પટેલ અને મહાત્મા ગાંધીએ બનાવી અને તેને ખતમ કરવા માંગે છે પરંતુ સરદાર પટેલનું મૂર્તિ બનાવવા માંગે છે

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
ભાજપ વાળા કહે છે કે વિકાસનું મોડલ અમે આપ્યું છે.

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
સાત વર્ષનો હતો અને ટ્યૂશન જતો હતો તો અમૂલનું પોસ્ટર દેખાતું હતું. ગુજરાતને મહિલાઓ અને સરદાર પટેલે બનાવ્યું છે.

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
કહે છે કે કોંગ્રેસે જે 60 વર્ષમાં કર્યું તે અમે 60 મહિનામાં કરી બતાવીશું

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
અંગ્રેજોએ ચોકીદારી કરી હતી, ઉખાડીને ફેંકી દિધા આપણે. હિન્દુસ્તાનની જનતાને ચોકીદાર નહી હકની જરૂરિયાત છે. કોંગ્રેસ પાર્ટી આ જ વાત કરે છે અમે કોઇ એક વ્યક્તિને ચોકીદાર બનાવવા માંગતા નથી પરંતુ તમને બધાને ચોકીદાર બનાવવા માંગીએ છીએ.

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
આપણી પાસે નેતાઓની લાઇન લાગેલી છે જેમણે તમને સરકાર અને સંવિધાન આપ્યું.

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
ભાજપે કોમ્યુટર વિશે કહ્યું હતું કે આનાથી નોકરી જતી રહેશે યુવાનો બેકાર થઇ જશે

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
વર્ષ બાદ ભાજપના બે નેતાઓએ કહ્યું કે આ અમે કર્યું છે. 10-10 વર્ષ બાદ કહેશે કે નરેગા અને ભોજનનો અધિકાર અમે આપ્યો છે. તેમની પાસે કોઇ વિચારસણી અને વિચારધારા નથી બસ ગુસ્સો છે.

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
જે દિવસે અમે ગુજરાતની મહિલાઓને શક્તિ આપી દિધી તે દિવસ અમૂલ ઉભો થઇ જશે. ગુજરાત ઉભુ થઇ જશે.

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
ગરીબોની જમની છીનવી લીધી, પરંતુ રોજગાર આપ્યો નહી

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
11 રૂપિયા છે ગરીબી રેખા, પરંતુ ગુજરાત વધારી રહ્યું છે. બાળકો ભૂખ્યા મરી રહ્યાં છે પરંતુ ગુજરાત ચમકી રહ્યું છે.

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
ફક્ત અમીરો અને ઉદ્યોગપતિ માટે ગુજરાત ચમકી રહ્યું છે, તેમના ઘર ચમકી રહ્યાં છે પરંતુ ગરીબોના ઘરમાં અંધારું છે. કેમ ભાઇઓ રસ્તા પર નેનો દેખાય છે?

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
પાંચ કરોડ લોકોને કોંગ્રેસે મનરેગાના માધ્યમહ્તી રોજગાર આપ્યો, 80 કરોડ લોકોને ખાવાનું આપ્યું. પરંતુ ભાજપ કહે છે કે પૈસાનું નુકસાન થઇ રહ્યું છે.

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
અમે ખેડૂતો માટે કામ કર્યું, 15 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા ગત 10 વર્ષોમાં.

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
70 કરોડ લોકો જે ગરીબી રેખાથી ઉપર છે પરંતુ મધ્યમ વર્ગથી નીચે છે, અમારો ટાર્ગેટ તેમને મીડલ ક્લાસમાં લાવવાનો છે.

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
બે પ્રકારના નેતાઓ હોય છે, એક જે જનતા વચ્ચે જાય છે અને જનતા સાથે વાતચીત કરે છે. જેમ કે ગાંધી જી. તે નેતાની વિચારસણી હોય છે કે જ્ઞાન જનતાની વચ્ચે છે. તે નેતા માથું ઝુકાવી ચાલે છે, તેનામાં ઘમંડ હોતું નથી. બીજા પ્રકારના નેતા હિટલરની માફક હોય છે જે વિચારે છે કે જનતાને કોઇ જ્ઞાન નથી, તેને સાંભળવાની કોઇ જરૂરિયાત નથી. બધુ જ્ઞાન હિટલરના મગજમાં છે. તે નેતા ફક્ત બોલે છે, હું આમ કરી દઇશ, હું તેમ કરી દઇશ. મેં આમ કર્યું મેં તેમ કર્યું. કોંગ્રેસ પાર્ટીમાં નેતા એવો હોય જે આ વાતને સમજે કે બધુ જનતાએ કર્યું. જો ગુજરાતમાં વિકાસ થયો છે તો તે અહીંની જનતા અને મહિલાઓના લીધે છે. નેતાનું કામ સમજવાનું અને સાંભળવાનું હોય છે. સાંભળવાથી અને સમજવાથી ભારત આગળ વધશે.

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
ગત 10 વર્ષોમાં યૂપીએએ કોંગ્રેસની વાત સાંભળી. ભાજપના નેતા ભ્રષ્ટાચારની વાત કરે છે પરંતુ ગુજરાતમાં ત્રણ એવા નેતા છે કે જેલની હવા ખાઇને આવ્યા છે.

રાહુલના ભાષણના 20 મુખ્ય અંશ
આરટીઆઇ, લોકપાલ અમે આપ્યું. તમારી પાસેથી પૈસા લઇને અમે માર્કેટિંગ કરતા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
