લૉકડાઉનને પગલે 30 ટકા શાકભાજી ખેતરમાં જ સડી ગયા
લૉકડાઉનને પગલે 30 ટકા શાકભાજી ખેતરમાં જ સડી ગયા
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણના કારણે આખા દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. 24 માર્ચથી દેશમાં લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું, જેને વધારી 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. એવામાં લૉકડાઉનને કારણે તમામ કામકાજ સંપૂર્ણપણે ઠપ છે. લૉકડાઉનની સૌથી વધુ અસર ગરીબ ખેડૂતો પર પડી છે. જણાવી દઈએ કે લૉકડાઉનને કારણે શાકભાજી અને અનાજની માંગમાં ભારે ગિરાવટ આવી છે, જેના પગલે શાકભાજી ખેતરોમાં જ સડી રહ્યા છે.

માંગમાં 30 ટકાની ગિરાવટ
લૉકડાઉનને કારણે શાકભાજી અને અનાજની માંગમાં 30 ટકાની ગિરાવટ નોંધાણી છે. એક તરફ શાકભાજીનું વેચાણ નથી થઈ રહ્યું તો બીજી તરફ ખરીફ પાકનો સમય આવી રહ્યો છે, જેને પગલે ખેડૂતોની મુશ્કેલી વધી છે. લૉકડાઉનને પગલે તમામ રેસ્ટોરાં, હોટલ બંધ છે, કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક, સામાજિક કાર્યક્રમ નથી થઈ રહ્યા, જેને પગલે શાકભાજીની માંગમાં ભારે ગિરાવટ નોંધાણી છે.

લૉકડાઉને ખેડૂતોની કમર તોડી
લૉકડાઉનને પગલે મજૂરોને ખેતરે જવાની મંજૂરી નહોતી અને તેઓ ફળ તથા શાકભાજીની કાપણી પણ ના કરી શક્યા. યાર્ડ અને ટ્રાન્સપોર્ટેશન બંધ થવાની સીધી અસર ખેડૂતો પર પડી છે. વેજિટેબલ ગ્રોવર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ શ્રીરામ ખડવેએ જણાવ્યું કે ખેડૂતોમાં 30 ટકા રવી ફસલને ખેતમાં જ છોડી દીધી, માંગ ઘટવાના કારણે તેનું પણ વેચાણ નથી થઈ શક્યું, ટ્રાન્સપોર્ટેશન બંધ થવાના કારણે હાલાત વધુ બગડ્યા છે. મજૂરોની અનુપસ્થિતિમાં પાકની કાપણી ના થઈ શકી. પરંતુ હવે ખેડૂતોને ખરીફ પાકની વાવણીનો સમય પણ આવી ગયો છે. ખેડૂતો જલદીમાં જલદી ખેતરને ખાલી કરવા માંગે છે જેથી તેઓ ખરીફ પાકની વાવણી કરી શકે. આ વિશે અનુમાન છે કે મોનસૂન સામાન્ય રહેશે, આ કારણે જ ખેડૂતો તેનો ભરપૂર ફાયદો ઉઠાવવા માંગે છે. સામાન્ય રીતે મે મહિનાના મધ્યમાં જ ખરીફ પાક વાવવામાં આવે છે. ખરીફ પાક માટે ખેડૂતો એપ્રિલમાં જ ખેતર તૈયાર કરી લાગે છે.

ખરીફ અને રવી પાકમાં અંતર
ખરીફ પાકની વાવણી માટે વધારે ગરમી અને ભેજની જરૂરત હોય છે. આ પાક શુષ્ક વાતાવરણમાં પાકી જાય છે. આ કારણે જ મે મહિનામાં આ પાકને વાવવામાં આવે છે અને સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં તેનની કાપણી કરી લેવામાં આવે છે. ખરીફ પાકમાં મુખ્યત્વે ધાન્ય, જુવાર, બાજરો, મકાઈ, મગફળી, કપાસ, સોયાબીન વગેરે વાવવામમાં આવે છે. જ્યારે રવી પાકની વાવણીમાં તાપમાન ઓછું હોય છે, આ પાક શુષ્ક અને ગરમ મોસમમાં પાકે છે, જે હિસાબે આ ફસલને ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વાવવામાં આવે છે અને માર્ચ-એપ્રિલમાં તેની કાપણી કરવામાં આવે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
