નવરાત્રિના પહેલા દિવસે થાય છે મા 'શૈલપુત્રી'ની પૂજા, જાણો પૂજા વિધિ અને કથા
પ્રથમ દિવસઃ મા શૈલપુત્રી
રૂપઃ સરળ, સુંદર, મોહક, સૌમ્ય
હાથમાં પુષ્પ, બીજા હાથમાં ત્રિશૂળ
વાહનઃ બળદ
સાચા મનથી કરવામાં આવેલી પ્રાર્થના મા જરૂર સાંભળે છે.

મા દુર્ગાનુ પહેલુ સ્વરૂપ શૈલપુત્રીના નામથી ઓળખાય છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી તરીકે પેદા થવાના કારણે તેમનુ નામ શૈલપુત્રી પડ્યુ. નવરાત્રિના પહેલા દિવસે તેમની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રિ માત્ર મા દુર્ગાના પૂજવાના દિવસે નથી હોતી પરંતુ આ દિવસ છે આદિ શક્તિની ઉપાસનાનો. તેમના પણ આપણી શ્રદ્ધાનો. માના નવ રૂપોની પૂજા આ નવ દિવસોમાં થાય છે. આદિ શક્તિ વિના આ સૃષ્ટિની કલ્પના પણ ન થઈ શકે. માના બધા રૂપ ખૂબ સરસ અને અલૌકિક છે. મા પ્રેમ, ત્યાગ, શક્તિ અને વિશ્વાસના પર્યાય છે, તેમની કૃપાથી જ આખા બ્રહ્માંડનુ સર્જન છે. નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા થાય છે માટે તેમને જ પ્રથમ દુર્ગા કહેવામાં આવે છે.
માનુ સ્વરૂપ સરળ, સરસ અને સૌમ્ય
માનુ આ સ્વરૂપ સરળ, સરસ અને સૌમ્ય છે. મા પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને જ્યારે પણ કોઈ મુસીબતમાં તેમને સાચા હ્રદય પોકારે ત્યારે તે હંમેશા પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે. માની પૂજા નિમ્નલિખિત મંત્રથી કરો.
ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे ॐ शैलपुत्री देव्यै नम:।
પૂજા વિધિ
- નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના કરીને મા દુર્ગીની પૂજા શરૂ કરો અને વ્રતનો સંકલ્પ લો.
- ત્યારબાદ મા શૈલપુત્રીની પૂજા કરો.
- તેમને લાલ ફૂલ, સિંદૂર, અક્ષત, ધૂપ વગેરે ચડાવો.
- મા શૈલપુત્રીને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે માટે તેમને સફેદ રંગની બરફીનો પ્રસાદ ધરાવો.
- ત્યારબાદ માતાના મંત્રીનુ ઉચ્ચારણ કરો.
- દુર્ગા ચાલીસાનો પાઠ કરો.જો સંભવ હોય તો દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અથવા કરાવડાવો.
- પૂજાના અંતે ગાયના ઘીનો દીવો કે કપૂરથી આરતી કરો.
- પૂજા દરમિયાન કે બાદમાં ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ.
કથા
પુરાણોમાં વર્ણન છે કે પ્રજાપતિ દક્ષના ઘરે એક અતિ સુંદર કન્યાએ જન્મ લીધો. જેનુ નામ સતી હતુ અને તેના વિવાહ મહાદેવ શિવજી સાથે થયા હતા. એક વાર દક્ષના ઘેર ભવ્ય યજ્ઞનુ આયોજન થયુ પરંતુ આ યજ્ઞમાં શિવજીને આમંત્રણ મળ્ય નહિ. જો કે પત્ની હોવાના નાતે સતીને આ વાત ગમી નહિ પરંતુ તે પુત્રી હોવાના કારણે એ અનુષ્ઠાનનો હિસ્સો બનવા માંગતી હતી. તેની દુવિધા શિવજી સમજી ગયા. તેમણે સતીને પિતાના ઘરે જવાની આજ્ઞા આપી દીધુ પરંતુ સતી જ્યારે પોતાના ઘરે પહોંચી તો દક્ષે શિવ પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને તેમને કટુ શબ્દો કહ્યા જેને સાંભળીને સતી એકદમ ક્રોધ અને દુઃખથી ભરાઈ ઉઠ્યા અને તેમણે આ કુંડમાં કૂદીને પોતાનો જીવનલીલા સમાપ્ત કરી દીધી. ભગવાન શિવને જ્યારે આ જાણવા મળ્યુ તો ક્રોધથી તેમનુ ત્રીજુ નેત્ર ખુલી ગયુ, પ્રલય આવી ગયો અને તેમણે આ યજ્ઞને જ નષ્ટ કરી દીધો. આ સતીએ આગલા જન્માં હિમાલયના ઘરે જન્મ લીધો અને શિવની પત્ની બન્યા, જેમને લોકો શૈલપુત્રીના નામથી જાણે છે. શૈલપુત્રીને જ લોકો મા પાર્વતી અને હિમાની કહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
