Mahashivratri 2024: ભગવાન શિવ શા માટે માથે ચંદ્ર અને ગળામાં સાપ ધારણ કરે છે? જાણો મહત્વ
Mahashivratri 2024: મહાશિવરાત્રીનો પર્વ સમગ્ર ભારતમાં ધામધુમથી ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીના તહેવાર અંગે ઘણી ધાર્મિક માન્યતાઓ અને કથાઓ સાંભળવા મળે છે. જે અનુસાર મહાશિવરાત્રીના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા.
મહાશિવરાત્રીનો શાબ્દિક અર્થ છે શિવની મહાન રાત્રિ. મહાશિવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભગવાન શિવના કેટલાક પ્રતીકો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અહેવાલમાં આપણે ભગવાન શિવના ચિહ્નો અને તેના કારણો જાણીશું.

ગળામાં સાપનો હાર - ભગવાન શિવ તેમના ગળામાં ફૂલોની માળા કે કોઈ ધાતુ નથી પહેરતા. તેમણે પોતાના ગળામાં વાસુકી નાગ પહેર્યો છે. એવું કહેવાય છે કે તે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું સૂચક છે. આ ઉપરાંત તે એ પણ દર્શાવે છે કે, તમામ તમોગુણી વસ્તુઓ તેમની નીચે છે.
ત્રીજી આંખ - એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ તેમની ત્રીજી આંખ ખોલે છે, જ્યારે તેમનો ક્રોધ ચરમસીમા પર હોય છે. તેમની ત્રીજી આંખ જ્ઞાન અને ઊર્જાનું પ્રતીક છે, જ્યારે તે ખુલે છે, ત્યારે વિનાશ થાય છે. જોકે, ક્રોધ અને વાસના મહાદેવની નીચે છે.
માથા પર ચંદ્ર - ભગવાન શંકરના મસ્તક પર ચંદ્ર મુગટની જેમ શોભે છે, જેના કારણે તેમને સોમ અને ચંદ્રશેખર પણ કહેવામાં આવે છે. વળી, ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે, અને ભોલેનાથનું મન તેમના નિયંત્રણમાં છે.
જટામાંથી વહેતી ગંગા - ભગવાન શંકરની જટામાં માતા ગંગા બિરાજમાન છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવની જટાઓમાંથી જ દેવી ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી હતી. ઉલ્લેખનીય છે કે, માતા ગંગા પવિત્રતા અને કલ્યાણનું પ્રતિક છે, જેના માત્ર દર્શનથી જ બધા પાપોનો નાશ થાય છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
